બોટાદમાં રિક્ષાચાલક પર હુમલો:ગાળ ન બોલવાનું કહેતા બે શખસ ધોકા અને લોખંડની પાઈપ લઈ તૂટી પડ્યા, મિત્રો સારવાર માટે લઈ ગયા

Gujarat5/27/2026, 11:31:11 AM
બોટાદમાં રિક્ષાચાલક પર હુમલો:ગાળ ન બોલવાનું કહેતા બે શખસ ધોકા અને લોખંડની પાઈપ લઈ તૂટી પડ્યા, મિત્રો સારવાર માટે લઈ ગયા
બોટાદ શહેરના હાઈસ્કૂલ ત્રણ રસ્તા નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડ પર એક રિક્ષાચાલક પર હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગાળો બોલવાની ના પાડતા બે શખસ લાકડાના ધોકા અને લોખંડના પાઈપથી માર માર્યો હતો. ફરિયાદ મુજબ, ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઈ મેર રાત્રે રિક્ષા સ્ટેન્ડ પાસે પેસેન્જરની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે જયદીપભાઈ ઉમેદભાઈ ખાચર અને મયુરભાઈ ઝરીયા વાળા તેમની રિક્ષા લઈને ત્યાં આવ્યા હતા અને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. રાજેશભાઈએ તેમને જાહેર સ્થળે ગાળો ન બોલવા સમજાવતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ છે કે જયદીપભાઈએ લાકડાના ધોકાથી અને મયુરભાઈએ લોખંડના પાઈપથી રાજેશભાઈ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમના બંને હાથમાં ઈજા થઈ હતી. હુમલા બાદ બંને આરોપીઓ રાજેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત રાજેશભાઈને તેમના મિત્રોએ સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →