ઝાડેશ્વર ચોકડી પાસે પીવાના પાણીની પાઈપલાઈન તૂટી:ભર ઉનાળે લાખો લીટર પાણીનો બગાડ, સમારકામની કામગીરી હાથ ધરાઈ

Gujarat4/9/2026, 1:38:03 PM
ઝાડેશ્વર ચોકડી પાસે પીવાના પાણીની પાઈપલાઈન તૂટી:ભર ઉનાળે લાખો લીટર પાણીનો બગાડ, સમારકામની કામગીરી હાથ ધરાઈ
ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને પસાર થતી મીઠા પાણીની પાઈપલાઈન ગઈકાલે રાત્રે તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું હતું અને આસપાસના ખેતરો તેમજ પાર્કિંગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઝોનોર તરફથી આવતી આ મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમીમાં જ્યાં લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં આવી રીતે કિંમતી પાણીનો વ્યાપક બગાડ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, સ્થાનિક લારીધારકો અને રહીશોએ થોડા દિવસો અગાઉ આ પાઈપલાઈનમાં સંભવિત ખામી અંગે તંત્રને રજૂઆત કરી હતી. તેમ છતાં સમયસર કોઈ કાર્યવાહી ન થતા આખરે આ ઘટના બની હોવાનું લોકો જણાવી રહ્યા છે. તંત્રની આ બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો છે. ઘટનાની જાણ થતા જ સંબંધિત વિભાગ દ્વારા પાઈપલાઈનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →