હાલાકી:તલાટીના કમ્પ્યુટર આઈડી 15 દિવસથી અપડેટ ના થતાં ઓનલાઇન દાખલાનું કામ અટકતાં અરજદારો મુશ્કેલીમાં

Gujarat6/4/2026, 12:57:44 AM
બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં તલાટીઓની 15 દિવસ અગાઉ આંતરિક બદલીઓ કરી હતી. જે પછી જે -તે ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર આઇડી પાસવર્ડ અપડેટ કરાયા નથી. જેથી ઓનલાઇન કામગીરી ઠપ થઇ ગઇ હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં ફરજ બજાવતાં તલાટીઓની 15 દિવસ અગાઉ બદલીઓ કરી હતી. જોકે, તલાટીઓ દ્વારા બદલી પ્રક્રિયાનો વિરોધ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીના કારણે મોટાભાગના તલાટીઓ નવા બદલીના સ્થળે હાજર થયા ન હતા. જેઓ હવે ફરજ ઉપર આવી રહ્યા છે. જોકે, ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટરમાં તેમના નામનું આઇડી અને પાસવર્ડ અપડેટ થયેલો ન હોવાથી પોર્ટલ પર લોગઇન થઇ શકાતું નથી. આથી જન્મ-મરણની નોંધણી, આવક-જાતિના દાખલા, વારસાઈ અને પેઢીનામું જેવા મહત્વપૂર્ણ સત્તાવાર દસ્તાવેજો ડિજિટલ સહી થઇ શકતી નથી. સરપંચ અને તલાટીના સંયુક્ત ડિજિટલ વડે સરકારી ગ્રાન્ટના નાણાકીય વ્યવહારો, ટેક્સ કલેક્શન અને રોજમેળ જેવા પંચાયતના વહીવટી હિસાબો અપડેટ થઇ શકતા નથી. પ્રધાનમંત્રી આવાસ, કિસાન સન્માન નિધિ, સામાજિક સુરક્ષા પેન્શન અને મનરેગા જેવી કલ્યાણકારી સરકારી યોજનાઓનું ઓનલાઈન અમલીકરણ અને લાભાર્થીઓનું વેરિફિકેશનની કામગીરી પણ અટવાઇ ગઇ છે. વીમા માટે મરણનો દાખલો મળતો નથી અશોકભાઇ દેવીપૂજકે જણાવ્યું કે માર પિતાજીનું નિધન થયું છે. વીમા માટે મરણનો દાખલો જોઇએ છે. ગ્રા પં.માં નવા તલાટી આવ્યા છે. પરંતુ કમ્યુટરમાંથી દાખલો નીકળતો ન હોવાથી મુશ્કેલી પડી રહી છે.
Read Original Article →