ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો:મોડાસાની બી. કનઈ સ્કૂલમાં છેલ્લા 20 વર્ષના વિદ્યાર્થીએ માતૃસંસ્થા સાથેના સંબંધો તાજાં કર્યાં; વિવિધ કાર્યક્રમો યોજાયા
મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી. કનઈ સ્કૂલ દ્વારા છેલ્લા 20 વર્ષના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. મોડાસાની આ જૂની કેળવણી મંડળ સંસ્થા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકારવા માટે વિશેષ આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતો, મનોરંજનના કાર્યક્રમો, ડાન્સ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આખો દિવસ આનંદ અને મસ્તી કરી હતી. દિવસના અંતે, તમામ ઉપસ્થિતો માટે મિષ્ટાન્ન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અનોખા સ્નેહમિલન કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ પોતાની માતૃસંસ્થા સાથેના સંબંધો તાજા કર્યા હતા.
Read Original Article →