આણંદમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે યાત્રાનું આયોજન:મહાઆરતી અને બ્રહ્મભોજન સાથે ઉજવાશે જન્મોત્સવ
ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે આણંદમાં બ્રહ્મ શક્તિ સેના દ્વારા પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા આગામી ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ યોજાશે. શહેરના તમામ સનાતની ભક્તોને આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. યાત્રાનું પ્રસ્થાન સાંજે ૦૪:૩૦ વાગ્યે બાજખેડાવાળાની વાડી ખાતેથી થશે. આ યાત્રા શહેરના નિર્ધારિત રૂટ પર ભક્તિમય માહોલમાં ફરીને વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર પાસે સંપન્ન થશે. યાત્રાના સમાપન સ્થળે પરશુરામ દાદાની મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક કાર્યક્રમ બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે સમૂહમાં બ્રહ્મભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રહ્મ શક્તિ સેના ગુજરાતના પ્રદેશ મહિલા મંત્રી દિક્ષિતાબેન દવેએ જણાવ્યું હતું કે, આ યાત્રા સમાજની એકતા અને ભક્તિનું પ્રતીક છે. તેમણે મહાઆરતી અને પ્રસાદનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં જનમેદનીને ઉમટી પડવા અનુરોધ કર્યો હતો.
Read Original Article →