ખેતીવિશેષ:1 વર્ષમાં ખેડૂતોએ રૂા.67,01,176ની કમાણી કરી, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અનાજ, શાકભાજી અને ફળની માંગ
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો મુક્ત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને રાજ્યમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ થકી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા અનાજ, શાકભાજી, અને ફળની ભારે માંગ વધી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂપિયા 67,01,176 કમાણી કરી છે. રાજ્યસરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ઉપ્તાદિત ઉત્પાદનો માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અમૃત બજાર યોજવામાં આવે છે. અમરેલી જિલ્લામાં એક વર્ષ દરમિયાન જિલ્લા તેમજ તાલુકા મથકે યોજાયેલા અમૃત બજાર ઉપરાંત ખેડૂતોએ પોતાના ઘરેથી જાતે 1,14,367 કિલો ઉત્પાદકોનું વેચાણ કર્યું છે. જેમાં 56,729 કિલો અનાજ, 26,683 કિલો શાકભાજી, 30,380 કિલો ફળનું ઉત્પાદનનું વેચાણ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિકાર તરીકે ખેતી કરી રહ્યા છે. જેમણે 18,978 એકરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તાર્યો છે. જિલ્લામાં કુલ ઉત્પાદન 114.367 ટનનું વાર્ષિક નોંધાયું છે.
Read Original Article →