કાર્યવાહી:વંડા ગામની યુવતીને દોઢ વર્ષથી ત્રાસ આપતા પતિ સહિત ત્રણ સામે ફરિયાદ
સાવારકુંડલાના વંડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ લગ્ન બાદ પતિ તથા સાસરીયાઓ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરી પોલીસમાં રાવ કરી છે. સાવરકુંડલાના વંડા ગામે ભાણદાસ બાપુની જગ્યા પાસે રહેતી સુરભીબેન યોગેશભાઇ ગોંડલીયા (ઉ.વ.26) એ ફરિયાદ નોંધાવી છે કે તા.17 ડિસેમ્બર 2024 થી તા.15 ફેબ્રુઆરી 26 દરમિયાન તેમના પતિ તથા સાસરીયાઓ દ્વારા વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમજ તેઓના સસરા અને સાસુ દ્વારા અપશબ્દો બોલી સાસુએ કરિયાવરની માંગ કરી મેણાટોણા મારી માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ તું અહીંથી જતી રહેજે નહીતો મારી નાખવી પડશે કહી ધમકી આપી હતી. આ અંગે સુરત નારાયણનગર, કારગીલ ચોક, પુણાગામ રહેતા પતિ રાજદીપ ઘનશ્યામભાઇ દેસાણી, સસરા ઘનશ્યામ દેસાણી અને સાસુ દયાબેન ઘનશ્યામ દેસાણી વિરુદ્ધ ફરિયાદ આપી છે. આ સમગ્ર મામલે વંડા પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read Original Article →