અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનો સંકલ્પ: 51,000 વૃક્ષો વાવશે:વિશ્વ પર્યાવરણ દિવસે 25 ગામડામાં વૃક્ષારોપણ મહાઅભિયાન શરૂ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઊર્જા તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત અમરેલીના 25 ગામડામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં આ સૌથી મોટો નિર્ણય લેવાયો છે. મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વડિયા, કુંકાવાવ, મોટા માંડવડા, સણોસરા, શીતલ, પીપળવા સહિત અનેક ગામડાઓમાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલી વિધાનસભામાં સદભાવના ટ્રસ્ટ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ જોડાણ હેઠળ આગામી 15 દિવસમાં 25 જેટલા ગામડાઓમાં 51,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, ગ્લોબલ વોર્મિંગ અને વધતી ગરમી સામે લડવા માટે પર્યાવરણ પ્રત્યે જાગૃત થવું અત્યંત જરૂરી છે. આ માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાથી પર્યાવરણનું રક્ષણ કરી શકાશે.
Read Original Article →