અમરેલીમાં ધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન વર્ગો:પૂરક પરીક્ષામાં સફળતા માટે વિશેષ શૈક્ષણિક અભિયાન

Gujarat5/16/2026, 11:20:56 AM
અમરેલીમાં ધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન વર્ગો:પૂરક પરીક્ષામાં સફળતા માટે વિશેષ શૈક્ષણિક અભિયાન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ટકી રહે અને જૂન-2026ની પૂરક પરીક્ષામાં સફળ થાય તે હેતુથી ખાસ ઉપચારાત્મક શિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગો 18 મે, 2026 થી 6 જૂન, 2026 સુધી ચાલશે. દરરોજ સવારે 9:00 થી 11:00 કલાક દરમિયાન આ વર્ગોનું સંચાલન કરવામાં આવશે. આ પહેલ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં આ વર્ગો વિવિધ સ્થળોએ યોજાશે. જેમાં અમરેલીમાં એસ.એસ. અજમેરા ગર્લ્સ હાઈસ્કુલ (કન્યાઓ માટે) અને જ્ઞાનદીપ વિદ્યામંદિર (કુમારો માટે)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લાઠીમાં કલાપી વિનય મંદિર, લીલીયામાં અમૃતબા હાઈસ્કુલ, બાબરામાં સરકારી કમળશી હાઈસ્કુલ, ધારીમાં જી. એન. દામાણી હાઈસ્કુલ, બગસરામાં મેઘાણી હાઈસ્કુલ, કુંકાવાવમાં સુરગવાળા સાર્વજનિક હાઈસ્કુલ, સાવરકુંડલામાં એસ. વી. દોશી હાઈસ્કુલ, ખાંભામાં જે. એન. મહેતા હાઈસ્કુલ, રાજુલામાં ટી. જે. બી. હાઈસ્કુલ અને જાફરાબાદમાં મોડેલ સ્કુલ ખાતે આ વર્ગો યોજાશે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ વર્ગોનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી તેઓ પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે.
Read Original Article →