સોલા ગૌશાળામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત પારાયણ:ઈલાબેન દેસાઈ દ્વારા દશમસ્કંધના પાઠનું રોજ પઠન

Gujarat6/9/2026, 3:06:05 AM
સોલા ગૌશાળામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત પારાયણ:ઈલાબેન દેસાઈ દ્વારા દશમસ્કંધના પાઠનું રોજ પઠન
સોલા ભાગવત મંદિરના ડુંગરા ફંડમાં આવેલી ગૌશાળામાં પુરુષોત્તમ અધિક માસ નિમિત્તે ભાગવતના દશમસ્કંધનું પારાયણ ચાલી રહ્યું છે. ઈલાબેન દેસાઈ દ્વારા આખા માસ દરમિયાન રોજ પાઠ કરવામાં આવે છે.આ પ્રસંગે, અશોકભાઈ પરીખના આમંત્રણને માન આપીને હેતલબેને ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમણે ગાય માતાને ચારો ખવડાવી આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ ઉપરાંત, વૈષ્ણવો દ્વારા પુષ્ટિમાર્ગ વિશે સત્સંગ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે.આ સત્સંગમાં દરેક વૈષ્ણવ બ્રહ્મસંબંધ લે અને પોતાના ઘરે ઠાકોરજી પધરાવે તે માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. ઘણા વૈષ્ણવો દૂરદૂરથી ઈલાબેન દેસાઈની વાણી સાંભળવા માટે આવે છે.સામાન્ય રીતે પાટોત્સવો, હોમ અને મંદિરોના આંગણામાં આવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ અહીં ગૌશાળામાં ગાયોની હાજરીમાં પાઠ કરવામાં આવે છે, જે આ કાર્યક્રમની વિશેષતા છે.
Read Original Article →