રાહી ફાઉન્ડેશન દ્વારા ગોમતીપુરમાં ખીચડી-છાશ વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોને 221મા પ્રોજેક્ટનો લાભ મળ્યો

Gujarat4/7/2026, 10:47:07 AM
રાહી ફાઉન્ડેશન દ્વારા ગોમતીપુરમાં ખીચડી-છાશ વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોને 221મા પ્રોજેક્ટનો લાભ મળ્યો
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ શ્રમજીવી પરિવારોને ખીચડી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તુલસી પાર્ક, ઝૂલતા મિનારા પાસે યોજાયો હતો. આ રાહી ફાઉન્ડેશનનો 221મો "ખીચડી વિતરણ પ્રોજેક્ટ" હતો, જેમાં શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓએ વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના આયોજનમાં શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી શ્રી જયેશ પરીખ, નિહારિકા પરીખ, મહેન્દ્ર પટેલ, જગદીશ પીલુચિયા, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
Read Original Article →