વિશ્વભરમાં ણમોકાર મહામંત્ર દિવસની ઉજવણી:ગાંધીનગરના જૈન મંદિરમાં વિશ્વ શાંતિ માટે જાપ કરાયા

Gujarat4/9/2026, 7:50:15 AM
વિશ્વભરમાં ણમોકાર મહામંત્ર દિવસની ઉજવણી:ગાંધીનગરના જૈન મંદિરમાં વિશ્વ શાંતિ માટે જાપ કરાયા
ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત શ્રી મહાવીરસ્વામી દિગંબર જૈન મંદિરમાં વિશ્વ ણમોકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશ્વ શાંતિના હેતુથી ણમોકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા. દર વર્ષે 9 એપ્રિલના રોજ વિશ્વ ણમોકાર મહામંત્ર દિવસ ઉજવવામાં આવે છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) દ્વારા આયોજિત આ દિવસે 108 જેટલાં દેશોમાં લાખો લોકો એકસાથે નવકાર મંત્રનો જાપ કરે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વશાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક એકતા લાવવાનો છે. આ વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે, ગાંધીનગર શહેરના વિવિધ દેરાસરોમાં જૈન સંઘો દ્વારા ણમોકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા. સેક્ટર-21ના શ્રી મહાવીરસ્વામી દિગંબર જૈન મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ણમોકાર મંત્ર એ જૈન ધર્મનો મૂળભૂત મંત્ર છે, જે પંચ પરમેષ્ઠિ (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ)ને નમસ્કાર કરે છે. આ મંત્રના સતત જાપથી માનસિક શાંતિ અને નકારાત્મકતા દૂર થાય છે તેવી માન્યતા છે.
Read Original Article →