દેખાવમાં સારું લાગતું ભોજન પણ હોઈ શકે છે ઝેરી:વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિતે ડોક્ટરે કહ્યું-કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું જોખમ પણ રહે

Gujarat6/6/2026, 10:02:08 AM
દેખાવમાં સારું લાગતું ભોજન પણ હોઈ શકે છે ઝેરી:વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિતે ડોક્ટરે કહ્યું-કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું જોખમ પણ રહે
થોડાક જ સમય પહેલા અમદવાદ શહેરની એક હોસ્ટેલમાં થયેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું.રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ પોઇઝનિંગની અનેક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓ એક મહત્વની હકીકત તરફ ધ્યાન દોરે છે કે અસુરક્ષિત ખોરાક હંમેશા બગડેલો કે દુર્ગંધવાળો દેખાતો નથી. ઘણી વખત દેખાવમાં એકદમ સારું અને તાજું લાગતું ભોજન પણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે, કારણ કે તેમાં સેલ્મોનેલા જેવા બેક્ટેરિયા, વાયરસ અને અન્ય ઝેરી તત્વો છુપાયેલા હોઈ શકે છે. આધુનિક જીવનશૈલી અને ફૂડ ડિલિવરી એપ્સના કારણે પણ જોખમ વધ્યું વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે ડોક્ટર્સનું માનવું છે કે, લોકો એવું માને છે કે ફૂડ પોઇઝનિંગ માત્ર રસ્તા પરની લારીઓથી થાય છે, પણ એવું નથી. હોસ્ટેલ, શાળાની કેન્ટીન, ઓફિસ કેફેટેરિયા, મોટી હોટલો અને ઘરોમાં પણ આ જોખમ છે. ખોરાકને યોગ્ય રીતે ન રાખવો, ગંદા પાણીનો ઉપયોગ, માંસ બરાબર ન રાંધવું, અને સ્વચ્છતાનો અભાવ આ માટે જવાબદાર છે. આધુનિક જીવનશૈલી અને ફૂડ ડિલિવરી એપ્સના કારણે પણ આ જોખમ વધ્યું છે, જ્યાં લોકો સાવચેતી કરતાં સુવિધાને વધુ મહત્વ આપે છે. 'કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું જોખમ પણ રહે છે' આ અંગે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ઇન્ટરનલ મેડિસિન અને જેરિયાટ્રિક્સ વિભાગના ડિરેક્ટર ડો. યોગેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલાં જ અમદાવાદની એક હોસ્ટેલમાં રહેતી 96 યુવતીઓને ફૂડ પોઇઝનિંગની શંકા સાથે તેમની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં વારંવાર દર્દીઓ પેટમાં દુઃખાવો, સતત ઉલ્ટી, ઝાડા અને તાવ જેવી તકલીફો સાથે આવે છે. જોકે મોટાભાગના લોકો સાજા થઈ જાય છે, પરંતુ નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ બીમારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં કિડનીને નુકસાન, લોહીમાં ચેપ અને મૃત્યુનું જોખમ પણ રહે છે.
Read Original Article →