રોડ બંધ કરી વિરોધ કરવો પડ્યો:અમરાઈવાડીના ખોખરા વિસ્તારમાં આવેલી ચાલીમાં પ્રદૂષિત પાણીને લઈને લોકો રોષે ભરાયા, ટેન્કરથી પાણી અપાશે

Gujarat5/27/2026, 4:18:01 PM
રોડ બંધ કરી વિરોધ કરવો પડ્યો:અમરાઈવાડીના ખોખરા વિસ્તારમાં આવેલી ચાલીમાં પ્રદૂષિત પાણીને લઈને લોકો રોષે ભરાયા, ટેન્કરથી પાણી અપાશે
અમદાવાદ શહેરના અમરાઇવાડી વોર્ડમાં આવતા ખોખરા વિસ્તારના પુંજાવાડાની ચાલીમાં ખરાબ પાણી આવતું હોવાની ફરિયાદને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા પાણીની સમસ્યાને લઈને રજૂઆત બાદ પણ કામગીરી ન થતાં સ્થાનિકોએ રસ્તો બ્લોક કર્યો હતો.ખોખરાથી અનુપમ તરફનો એક બાજુનો રસ્તો બંધ કરી વિરોધ નોંધાયો હતો. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસની સમજાવટ બાદ રોડ ખોલી દેવાયો હતો. ચાલીમાં ગટર લાઈનની કામગીરી કરવાની હતી પરંતુ, ખૂબ સાંકડો રોડ હોવાથી ચાલીમાં અવર-જવરનો રસ્તો બંધ થઈ જવાનો હોવાના કારણે તેમણે વિરોધ કર્યો હતો જેથી કામગીરી થઈ શકી નહોતી હવે આગામી દિવસોમાં કામગીરી કરીને ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં આવશે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહી મળતી માહિતી મુજબ શહેરના અમરાઇવાડી વોર્ડમાં આવતા પુંજાવાડાની ચાલીમાં છેલ્લા કેટલાક સમયથી ખરાબ પાણી આવવાની સમસ્યા હતી. સ્થાનિક લોકો દ્વારા આ કામગીરી બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, પ્રદૂષિત પાણી આવતું હતું જેનું કોઈ નિરાકરણ આવતું નહોતું, જેને લઇને ચાલીમાં રોગચાળો ફેલાયો તેમજ ખરાબ પાણી આવવાથી લોકોને મજબુરીમાં વેચાતું પાણી લેવું પડતું હોવાથી સ્થાનિક લોકો દ્વારા રોડ બંધ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ બાદ રસ્તો ખોલવામાં આવ્યો જોકે થોડાક સમયમાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસની સમજાવટ અને AMCની બાહેંધરી બાદ રસ્તો ખોલવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના અધિકારીના જણાવ્યા મુજબ પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જોકે, ચાલીમાં ખોદકામ કરી કામ કરવું પડે તેવી સ્થિતિ છે પરંતુ ચાલી નો રસ્તો ખૂબ જ સાંકડો છે અને તેના કારણે ચાલી બ્લોક થઈ જાય તેવી સ્થિતિ હતી જેથી સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ગટરનો મેઈન હોલ 40 ના મકાનોની નીચે આવેલું છે. ટેન્કર દ્વારા સ્થાનિક લોકોને પાણી પૂરું પાડવામાં આવશે
Read Original Article →