ભારતમાં દર વર્ષે હૃદય રોગથી 28 લાખ લોકોના મોત:કાર્ડિયાક અરેસ્ટ અચાનક નથી આવતો, શરીરના 7 સંકેતોને સમયસર ઓળખો; જાણો હાર્ટને હેલ્ધી રાખવાની ટિપ્સ

Lifestyle5/6/2026, 12:30:00 AM
ભારતમાં દર વર્ષે હૃદય રોગથી 28 લાખ લોકોના મોત:કાર્ડિયાક અરેસ્ટ અચાનક નથી આવતો, શરીરના 7 સંકેતોને સમયસર ઓળખો; જાણો હાર્ટને હેલ્ધી રાખવાની ટિપ્સ
તાજેતરમાં વડોદરામાં 29 વર્ષના સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) જવાનનું ટ્રેનિંગ પછી અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પરેડ પછી તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હોસ્પિટલ લઈ જતી વખતે તેની હાલત બગડી અને તેનું મૃત્યુ થયું. ભારતમાં હૃદય રોગ હવે ફક્ત વૃદ્ધો પૂરતો સીમિત નથી. નાની ઉંમરના લોકો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન (WHF) અનુસાર, હૃદય રોગથી દર વર્ષે ભારતમાં લગભગ 28 લાખ લોકોના મોત થાય છે. ‘વર્લ્ડ હાર્ટ ફાઉન્ડેશન’, ‘ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ’ અને ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’ (ICMR)ના આંકડા અનુસાર, દેશમાં કુલ મૃત્યુમાં લગભગ 28% હિસ્સો કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનો છે. આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે હૃદયના કયા સંકેતોને સમયસર ઓળખવા જોઈએ. સાથે જ એ પણ કે આપણી રોજિંદી આદતો હૃદયના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે. તેથી ‘ફિઝિકલ હેલ્થ’ માં આજે સમજીશું કે, હૃદય શું છે અને તે કેવી રીતે કામ કરે છે. સાથે જ જાણીશું કે- પ્રશ્ન- હૃદય શું છે? જવાબ- હૃદય એટલે કે હાર્ટ, શરીરનો એક મજબૂત સ્નાયુ પંપ છે. તે લગભગ આપણી મુઠ્ઠી જેટલું મોટું હોય છે. તે છાતીની વચ્ચે, થોડું ડાબી બાજુ હોય છે. હૃદયમાં ચાર ચેમ્બર હોય છે. ઉપરના બંને ચેમ્બરને ‘એટ્રિયમ’ કહે છે અને નીચેના ચેમ્બરને ‘વેંટ્રિકલ’ કહે છે. હૃદય કેવી રીતે કામ કરે છે? પ્રશ્ન- હૃદય શા માટે બીમાર પડે છે? જવાબ- સમય જતાં હૃદયની નસો અને સ્નાયુઓ પર દબાણ વધે છે. મુખ્યત્વે હૃદયનું સ્વાસ્થ્ય આ 5 મુદ્દાઓ પર આધાર રાખે છે, ગ્રાફિકમાં જોઈએ- બધા મુદ્દાઓ વિગતવાર સમજીએ- તમે આખો દિવસ શું ખાઓ છો? હૃદયના બીમાર થવાનું મોટું કારણ એ છે કે, આપણે શું અને કેવી રીતે ખાઈએ છીએ. વધુ તેલ-મસાલાવાળો ખોરાક ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે, જે હૃદયની ધમનીઓમાં જમા થાય છે. ખરાબ ખાનપાન હૃદયને કેવી રીતે બીમાર કરે છે, ગ્રાફિકમાં જોઈએ- તમે તમારા શરીરને કેટલું હલનચલન કરાવો છો? તમે કેટલી શારીરિક પ્રવૃત્તિ કરો છો, તેની સીધી અસર હૃદયના સ્વાસ્થ્ય પર પડે છે- તમે રાત્રે કેટલી શાંતિપૂર્ણ ઊંઘ લો છો? તેની હૃદયના સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. સિગારેટ, દારૂ, કેફીન, નિકોટિન સાથે તમારો શું સંબંધ છે? સિગારેટ, દારૂ, કેફીન અને નિકોટિન સીધા હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે- જીવનમાં કેટલા સુંદર સંબંધો, પ્રેમ અને ખુશી છે એટલે કે તણાવનું સ્તર શું છે? પ્રશ્ન- શું સડન કાર્ડિયાક અરેસ્ટ ખરેખર સડન હોય છે? જવાબ- ‘સડન કાર્ડિયાક અરેસ્ટ’ નામ પરથી ભલે લાગે કે બધું અચાનક થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તે સંપૂર્ણપણે સડન (અચાનક) હોતું નથી. શરીર પહેલાથી જ ઘણી રીતે સંકેતો આપતું રહે છે- આ સંકેતો દર્શાવે છે કે હૃદય પર દબાણ વધી રહ્યુ છે અથવા તેની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગડબડ થઈ રહી છે. પરંતુ ઝડપી જીવનશૈલી, કામનો તણાવ અને જવાબદારીઓમાં ફસાયેલા રહેવાને કારણે આપણે આ સંકેતોને અવગણીએ છીએ. જો સમયસર આ લક્ષણોને સમજી લેવામાં આવે અને તપાસ કરાવવામાં આવે તો સડન કાર્ડિયાક અરેસ્ટના જોખમને મોટાભાગે ટાળી શકાય છે.
Read Original Article →