ઉનાળામાં પેટમાં વારંવાર ગડબડ થઈ જાય છે?:પાચનતંત્ર નબળું પડવા પાછળ 5 કારણો જવાબદાર, જાણો ડાયજેશનને દુરસ્ત રાખવા શું ખાવું અને શું નહીં
શું તમે પણ નોંધ્યું છે કે, ઉનાળામાં પાચનતંત્ર ઘણીવાર ખરાબ થઈ જાય છે? આ માત્ર ખાવા-પીવાની ભૂલ નથી, પરંતુ શરીરની અંદર થતા ફેરફારોની અસર હોય છે. વધુ તાપમાન, ડિહાઇડ્રેશન અને જીવનશૈલીની નાની-નાની ભૂલો પાચનતંત્રની કાર્યક્ષમતાને અસર કરી શકે છે. આવા સમયે યોગ્ય ખોરાકની પસંદગી અને ખાવાનો સમય સમજવો ખૂબ જ જરૂરી છે. તેથી ‘કામના સમાચાર’માં આજે સમજીશું કે ઉનાળામાં પાચનતંત્ર શા માટે નબળું પડી જાય છે. સાથે જ જાણીશું કે- નિષ્ણાત: ડૉ. નરેન્દ્ર કુમાર સિંગલા, પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી પ્રશ્ન- શું આ હકીકત છે કે ઉનાળામાં પાચનતંત્રની ખોરાક પચાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે? જવાબ- હા, ઉનાળામાં પાચન ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણો છે- પ્રશ્ન- ઉનાળામાં ડાયજેશન સિસ્ટમ નબળી કેમ પડે છે? જવાબ- ઉનાળામાં તાપમાન વધવા પર શરીરનું કાર્ય પ્રભાવિત થાય છે, તેના તમામ કારણો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- તાપમાનનું વધવું પાચનતંત્ર અને મેટાબોલિઝમ પર શું અસર કરે છે? જવાબ- તેને પોઈન્ટર્સથી સમજીએ- પાચનતંત્ર મેટાબોલિઝમ પ્રશ્ન- સામાન્ય રીતે ઉનાળામાં કઈ પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે? જવાબ- વધુ તાપમાનથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ ઓછા થઈ જાય છે. તમામ હેલ્થ રિસ્ક ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- ઉનાળામાં કયા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓનું જોખમ વધુ હોય છે? જવાબ- કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ સૌથી વધુ એવા લોકોને હોય છે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. ગ્રાફિકમાં જોઈએ, કોને વધુ જોખમ હોય છે- પ્રશ્ન- ઉચ્ચ તાપમાન અને પર્યાવરણીય કારણો ઉપરાંત શું જીવનશૈલી અને ખાદ્ય ટેવો પણ ઉનાળામાં પાચન બગાડી શકે છે? જવાબ- વધુ તળેલું-મસાલેદાર ભોજન પેટમાં વધુ સમય સુધી રહે છે, જેનાથી અપચો અને એસિડિટીનું જોખમ રહે છે. પ્રશ્ન- ઉનાળામાં પાચનતંત્રને સારું રાખવા માટે રોજિંદા જીવનશૈલીમાં કયા ફેરફારો કરવા જોઈએ? જવાબ- હળવો, તાજો અને સુપાચ્ય ખોરાક લેવાથી પાચનતંત્ર સંતુલિત રહે છે. આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો- પ્રશ્ન- આ સિઝનમાં કયા ખોરાક અને પીણાં ટાળવા જોઈએ, જે પાચન બગાડે છે? જવાબ- ડીપ ફ્રાઈડ ફૂડ્સ જેમ કે પકોડા, સમોસા અને ચિપ્સ મોડેથી પચે છે અને ગરમીનું ઉત્પાદન વધારે છે. ટાળવાના ખોરાકની સંપૂર્ણ સૂચિ ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- કયા ફૂડ્સ, ફળો અને ડ્રિંક્સ ડાયજેસ્ટિવ સિસ્ટમને ઠંડી અને એક્ટિવ રાખે છે? જવાબ- ઉનાળામાં પાણીથી ભરપૂર અને સુપાચ્ય ખોરાક પેટ પર ઓછું દબાણ લાવે છે અને પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે. સંપૂર્ણ ફૂડ લિસ્ટ ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- ઉનાળામાં ખાવાનો યોગ્ય સમય અને પોર્શન સાઈઝ શું હોવી જોઈએ, જેથી પેટ પર દબાણ ન આવે? જવાબ- સવારે ઉઠ્યાના 1 કલાકની અંદર હળવો નાસ્તો લેવાથી મેટાબોલિક પ્રક્રિયા સમયસર શરૂ થાય છે. પ્રશ્ન- જો ઉનાળામાં વારંવાર અપચો, ઉલટી અને ઝાડા થાય, તો શું ડોક્ટરને બતાવવું જરૂરી છે? જવાબ- હા, 2-3 દિવસથી વધુ સમય સુધી લક્ષણો રહે તો ઇન્ફેક્શન કે ફૂડ પોઇઝનિંગનું જોખમ હોય છે.
Read Original Article →