શું હંટા વાયરસ કોરોના જેટલો ખતરનાક છે?:અમેરિકામાં 50% કેસોમાં મૃત્યુ નક્કી; જાણો બીમારી ફેલાવાના કારણો, કોને જોખમ વધુ ને શું સાવચેતીઓ રાખવી

Lifestyle6/3/2026, 12:30:00 AM
શું હંટા વાયરસ કોરોના જેટલો ખતરનાક છે?:અમેરિકામાં 50% કેસોમાં મૃત્યુ નક્કી; જાણો બીમારી ફેલાવાના કારણો, કોને જોખમ વધુ ને શું સાવચેતીઓ રાખવી
એપ્રિલ 2026માં પશ્ચિમ આફ્રિકા નજીક ‘એમવી હોન્ડિયસ ક્રુઝ’ શિપ પર ‘હંટા વાયરસ’ના સંક્રમણ બાદ દુનિયાભરમાં આ બીમારીને લઈને ચિંતા વધી ગઈ છે. જહાજ પર ઘણા લોકો બીમાર પડ્યા. તેમાંથી કેટલાકના મોત પણ થયા. હંટા વાયરસ હવે સ્પેનમાં હંટા વાયરસનો બીજો કેસ પણ તે સ્પેનિશ યાત્રીઓમાં મળ્યો છે, જેને એપ્રિલમાં તે ક્રુઝ જહાજ પર બીમારી ફેલાયા બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાના ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ હેલ્થ‘ અનુસાર, દુનિયાભરમાં દર વર્ષે હંટા વાયરસના લગભગ 1-2 લાખ કેસ સામે આવે છે. તેમાંથી મોટાભાગના યુરોપ અને એશિયાના હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, હંટા વાયરસના કારણે અમેરિકામાં 50% કેસોમાં મૃત્યુ થાય છે. જ્યારે એશિયામાં મૃત્યુ દર 15% સુધી છે. મોટાભાગના કેસોમાં મૃત્યુ 6 અઠવાડિયાની અંદર થઈ જાય છે. તેથી ‘ફિઝિકલ હેલ્થ’માં આજે હંટા વાયરસની વાત કરીશું. સાથે જ જાણીશું કે- પ્રશ્ન- હંટા વાયરસ શું છે? જવાબ- હંટા વાયરસ એક વાયરસ ગ્રુપ છે, જે મુખ્યત્વે સંક્રમિત ઉંદરો અને અન્ય રોડેન્ટ્સના યુરિન, મળ અથવા લાળના સંપર્કથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. જુદા-જુદા દેશોમાં તેના અલગ સ્ટ્રેન જોવા મળે છે. તેના સંક્રમણથી વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ શકે છે. પ્રશ્ન- કયા દેશોમાં હંટા વાયરસનું જોખમ વધારે છે? જવાબ- તેનું જોખમ આખી દુનિયામાં એક સરખું નથી. સૌથી વધુ જોખમ તે દેશો અને વિસ્તારોમાં હોય છે, જ્યાં રોડેન્ટ્સ (ઉંદર, ખિસકોલી વગેરે) વધુ જોવા મળે છે અને તેમનો મનુષ્યો સાથે વધુ સંપર્ક હોય છે. ગ્રાફિકમાં જુઓ, કયા દેશોમાં વધુ જોખમ છે- પ્રશ્ન- વિદેશ યાત્રા કરી રહેલા લોકોને તેનો ખતરો શા માટે વધારે હોય છે? જવાબ- એવું એટલા માટે, કારણ કે અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં હંટા વયરસનું જોખમ છે. જે લોકો આ દેશોમાં ફરવા જઈ રહ્યા છે, તેમને વધારે જોખમ થઈ શકે છે. ફરવા ગયેલા લોકો કેમ્પિંગ, ટ્રેકિંગ કરે છે તો જોખમ વધારે હોય છે. આ પ્રવૃત્તિઓથી વધે છે હંટા વયરસનું જોખમ- પ્રશ્ન- હંટા વાયરસ કેવી રીતે ફેલાય છે? જવાબ- હંટા વાયરસ મુખ્યત્વે સંક્રમિત ઉંદરો અને અન્ય રોડેન્ટ્સના પેશાબ, મળ અને લાળના સંપર્કથી ફેલાય છે. ગ્રાફિકમાં જુઓ, તે કેવી રીતે ફેલાઈ શકે છે- પ્રશ્ન- શું તે માણસથી માણસમાં ફેલાઈ શકે છે? જવાબ- આ વાયરસ સામાન્ય રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. જોકે, દક્ષિણ અમેરિકાના કેટલાક સ્ટ્રેન્સમાં માણસથી માણસમાં સંક્રમણ જોવા મળ્યું છે. પ્રશ્ન- હંટા વાયરસના શરૂઆતી લક્ષણો શું છે? કેવી રીતે જાણવું કે આ ગંભીર છે? જવાબ- હંટા વાયરસના શરૂઆતી લક્ષણો સામાન્ય સંક્રમણ જેવા દેખાઈ શકે છે. તેથી શરૂઆતથી જ દેખરેખ જરૂરી છે. ગ્રાફિકમાં બધા લક્ષણો જુઓ- પ્રશ્ન- જો હંટા વાયરસના લક્ષણો દેખાય તો શું કરવું? જવાબ- હંટા વાયરસના લક્ષણો દેખાય ત્યારે આ કામ કરો- પ્રશ્ન- હંટા વાયરસની સારવાર શું છે? જવાબ- હંટા વાયરસ માટે કોઈ એન્ટિવાયરલ દવા નથી. તેથી, હંટા વાયરસનો ચેપ લાગવા પર લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે. પ્રશ્ન- શું હંટા વાયરસ માટે કોઈ રસી બનાવવામાં આવી છે? જવાબ- હાલમાં મોટાભાગના દેશોમાં સામાન્ય લોકો માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. જોકે, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં અમુક ખાસ પ્રકારના હંટા વાયરસ માટે મર્યાદિત ઉપયોગવાળી રસીઓ ઉપલબ્ધ છે. પ્રશ્ન- શું હંટા વાયરસ જીવલેણ હોઈ શકે છે? જવાબ- હા, હંટા વાયરસ ગંભીર અને જીવલેણ બીમારી છે. તેના કારણે 50% સુધી લોકોના મોત થઈ શકે છે. પ્રશ્ન- કયા લોકોને હંટા વાયરસનું વધુ જોખમ હોય છે? જવાબ- આમને હંટા વાયરસનું જોખમ વધુ છે- પ્રશ્ન- વિદેશમાં યાત્રા દરમિયાન કઈ જગ્યાઓ પર વધુ સાવચેતી જરૂરી છે? જવાબ- વિદેશ યાત્રા દરમિયાન આ જગ્યાઓ પર વધુ સાવચેતી જરૂરી- પ્રશ્ન- વિદેશ યાત્રા પહેલાં શું જાણવું જરૂરી છે? જવાબ- યાત્રા પહેલાં આ બાબતો જાણો- પ્રશ્ન- શું એરપોર્ટ કે ફ્લાઇટમાં પણ હંટા વાયરસનો ખતરો હોય છે? જવાબ- સામાન્ય રીતે એરપોર્ટ કે ફ્લાઇટમાં જોખમ ખૂબ ઓછું હોય છે. કારણ કે અહીં સામાન્ય રીતે ઉંદરો હોતા નથી અને તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. પ્રશ્ન- હોટેલ કે Airbnb લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જવાબ- આ બાબતોનું ધ્યાન રાખો- પ્રશ્ન- જો રૂમમાં રોડન્ટ્સ કે ઉંદરો દેખાય તો શું કરવું? જવાબ- આવી સ્થિતિમાં આ પગલાં લો- પ્રશ્ન- જો કોઈ જગ્યાએ રોડેન્ટ ડ્રોપિંગ્સ દેખાય તો શું કરવું? જવાબ- જો રોડેન્ટ્સના ડ્રોપિંગ્સ દેખાય તો આ કરો- પ્રશ્ન- કેમ્પિંગ દરમિયાન હંટા વાયરસના ચેપથી કેવી રીતે બચવું? જવાબ- આ માટે આ કામ કરો- પ્રશ્ન- શું માસ્ક પહેરવાથી હંટા વાયરસથી બચી શકાય છે? જવાબ- હા, માસ્ક પહેરવાથી હંટા વાયરસનું જોખમ ઓછું કરી શકાય છે. બંધ રૂમ, ગોડાઉન, કેબિન કે સફાઈ દરમિયાન N95 માસ્ક વધુ સારી સુરક્ષા આપે છે. જોકે, માત્ર માસ્ક પૂરતું નથી, અન્ય સાવચેતીઓ પણ જરૂરી છે. પ્રશ્ન- શું ખાવા દ્વારા પણ સંક્રમણ ફેલાઈ શકે છે? જવાબ- હા, જો ભોજન કે પાણી ઉંદરોના મળ-મૂત્ર કે લાળથી દૂષિત થઈ ગયું હોય તો સંક્રમણનું જોખમ વધી શકે છે. તેથી ખાવા-પીવાની વસ્તુઓને હંમેશા ઢાંકીને રાખો. ખુલ્લા ભોજનથી બચો અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો.
Read Original Article →