રશિયા-યુક્રેન વચ્ચે 3 દિવસ યુદ્ધવિરામ:ટ્રમ્પે કરી ઘોષણા, કહ્યું- આ વિરામ બંને દેશો વચ્ચેના યુદ્ધના "અંતનો આરંભ" હોઈ શકે; કેદીઓની અદલાબદલી થશે

International5/8/2026, 7:11:50 PM
રશિયા-યુક્રેન વચ્ચે 3 દિવસ યુદ્ધવિરામ:ટ્રમ્પે કરી ઘોષણા, કહ્યું- આ વિરામ બંને દેશો વચ્ચેના યુદ્ધના "અંતનો આરંભ" હોઈ શકે; કેદીઓની અદલાબદલી થશે
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના નેતાઓ તેમની વિનંતી પર ત્રણ દિવસના યુદ્ધવિરામ અને કેદીઓની અદલાબદલી માટે સંમત થયા છે. તેમણે ઉમેર્યું હતું કે દુશ્મનાવટમાં આ વિરામ બંને દેશો વચ્ચેના લાંબા યુદ્ધના "અંતની શરૂઆત" હોઈ શકે છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે આ યુદ્ધવિરામ શનિવારથી સોમવાર સુધી ચાલશે. શનિવારે રશિયામાં 'વિક્ટરી ડે' (વિજય દિવસ) છે, જે 81 વર્ષ પહેલાં બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પરના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે. ટ્રમ્પે લખ્યુ હતું, "મને એ જાહેર કરતાં આનંદ થાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ત્રણ દિવસનો યુદ્ધવિરામ (9 મે, 10 મે અને 11 મે) રહેશે. રશિયામાં આ વિજય દિવસની ઉજવણી છે, પરંતુ તે જ રીતે યુક્રેનમાં પણ છે, કારણ કે તેઓ પણ બીજા વિશ્વયુદ્ધમાં એક મોટો ભાગ અને પરિબળ હતા." રિપબ્લિકન પ્રમુખે જણાવ્યું હતું કે આ યુદ્ધવિરામમાં તમામ પ્રકારની સૈન્ય ગતિવિધિઓ પર રોક અને દરેક દેશ દ્વારા 1,000 કેદીઓની અદલાબદલીનો સમાવેશ થાય છે. ટ્રમ્પે યુદ્ધવિરામ માટે પોતે વિનંતી કરી હોવાનો કર્યો દાવો ટ્રમ્પે વધુમાં જણાવ્યું, "આ વિનંતી સીધી મારા દ્વારા કરવામાં આવી હતી, અને હું પ્રમુખ વ્લાદિમીર પુતિન અને પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી દ્વારા તેની સ્વીકૃતિની ખૂબ પ્રશંસા કરું છું. આશા છે કે, આ એક ખૂબ જ લાંબા, ઘાતક અને સખત સંઘર્ષવાળા યુદ્ધના અંતની શરૂઆત છે." ટ્રમ્પે ઉમેર્યું હતું કે યુદ્ધ ખતમ કરવા માટે વાટાઘાટો ચાલુ છે અને "અમે દરરોજ તેની વધુને વધુ નજીક પહોંચી રહ્યા છીએ."
Read Original Article →