પાકિસ્તાન અને ચીને કાશ્મીર મુદ્દે ઉપાડો લીધો:શાહબાઝ શરીફ ચીન પહોંચતાં જ જિનપિંગનો મતીભ્રમ; ભારતે પણ કહી દીધું- કાશ્મીર ભારતનું હતું, છે ને રહેશે

International5/26/2026, 6:35:00 PM
પાકિસ્તાન અને ચીને કાશ્મીર મુદ્દે ઉપાડો લીધો:શાહબાઝ શરીફ ચીન પહોંચતાં જ જિનપિંગનો મતીભ્રમ; ભારતે પણ કહી દીધું- કાશ્મીર ભારતનું હતું, છે ને રહેશે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 23 થી 26 મે સુધી ચીનના પ્રવાસે છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ કરી. આ દરમિયાન ચીન અને પાકિસ્તાને મંગળવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. આ સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ભારતે ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા નિવેદનને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે. ચીન-પાકિસ્તાનના આ સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે ભારતનું વલણ પહેલેથી જ સ્પષ્ટ અને સ્થિર છે અને સંબંધિત પક્ષોને તેની સારી રીતે જાણ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને તેના પર અન્ય કોઈ દેશને ટિપ્પણી કરવાનો અધિકાર નથી. ભારતની આ સખત પ્રતિક્રિયા ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો ઉલ્લેખ કર્યા પછી આવી છે. ભારતે CPEC પરિયોજનાઓનો પણ વિરોધ કર્યો, જે પાકિસ્તાન અધિકૃત વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારતે કહ્યું કે આ પરિયોજનાઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. આ સંબંધમાં ભારતે ચીન અને પાકિસ્તાન બંને સમક્ષ ઘણી વખત વાંધો ઉઠાવ્યો છે. ભારત સરકારે ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં ટ્રાન્સ બાઉન્ડ્રી વોટર રિસોર્સ કોઓપરેશનના ઉલ્લેખને પણ નકારી કાઢ્યો અને કહ્યું કે બંને દેશો વચ્ચે કોઈ સામાન્ય સરહદ નથી તેથી આવા સહયોગનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ભારતે એ પણ પુનરોચ્ચાર કર્યો કે તે 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને ક્યારેય માન્યતા આપતો નથી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 23 થી 26 મે સુધી ચીનના પ્રવાસે છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ કરી. આ દરમિયાન ચીન અને પાકિસ્તાને મંગળવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. આ સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ચીને કહ્યું કે આ વિવાદ જૂનો છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.
Read Original Article →