જાતિવાદ પર છલકાયું 'પંચાયત' એક્ટરનું દર્દ:વિનોદ સૂર્યવંશીએ કહ્યું- આજે પણ મંદિરમાં એન્ટ્રી નથી મળતી; હોટલમાં પોતાની પ્લેટો ધોવી પડી હતી

Entertainment4/28/2026, 12:30:00 AM
જાતિવાદ પર છલકાયું 'પંચાયત' એક્ટરનું દર્દ:વિનોદ સૂર્યવંશીએ કહ્યું- આજે પણ મંદિરમાં એન્ટ્રી નથી મળતી; હોટલમાં પોતાની પ્લેટો ધોવી પડી હતી
વેબ સિરીઝ 'પંચાયત'માં નવા સચિવ જીના પાત્રથી ચર્ચામાં આવેલા વિનોદ સૂર્યવંશીએ તાજેતરમાં જણાવ્યું કે તેના કર્ણાટક સ્થિત ગામમાં આજે પણ તેને એક મંદિરમાં પ્રવેશ મળતો નથી. વિનોદ સૂર્યવંશીએ સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં કહ્યું કે- તેના ગામમાં આજે પણ જાતિગત આધાર પર ભેદભાવ થાય છે. તેણે જણાવ્યું કે ગામ બે ભાગમાં વહેંચાયેલું છે, જ્યાં એક તરફ ઉચ્ચ જાતિના લોકો રહે છે અને બીજી તરફ દલિત જાતિના લોકો. વિનોદે જણાવ્યું કે આજે પણ એક એવું મંદિર છે જ્યાં અમને (દલિત સમુદાયને) જવાની પરવાનગી નથી. અમે મંદિરની અંદર જઈ શકતા નથી. અમારે બહારથી જ તેલ આપવું પડે છે, નાળિયેર ચઢાવવું પડે છે અને પછી પૂજારી અંદર જઈને ચઢાવે છે. તેણે કહ્યું કે હું થોડા સમય પહેલા મંદિરમાં મારા દીકરાનું મુંડન કરાવવા ગયો હતો. વિચાર્યું હતું કે હવે કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ હશે, પરંતુ એવું થયું નહીં. આજે પણ એ જ વસ્તુઓ છે. બાળપણમાં હોટલમાં પોતે જ પ્લેટો ધોવી પડી હતી વિનોદ સૂર્યવંશીએ બાળપણનો અનુભવ શેર કરતા જણાવ્યું કે 7-8 વર્ષની ઉંમરે જ્યારે તે પોતાના પિતા સાથે ગામ ગયો હતો, ત્યારે હોટલમાં જમ્યા પછી તેને પોતાની પ્લેટો જાતે ધોવી પડી હતી, જ્યારે તેણે આખું બિલ ચૂકવ્યું હતું. વિનોદે એમ પણ કહ્યું કે આર્થિક તંગીના કારણે તેના પરિવાર માટે તહેવારો ખુશી નહીં, પરંતુ દુઃખનું કારણ બનતા હતા. તેણે જણાવ્યું કે ઘણી વાર તેણે પોતાના માતા-પિતાને તહેવારોના સમયે રડતા જોયા હતા. એક્ટરે એવો પણ દાવો કર્યો હતો કે તેમને ઇન્ડસ્ટ્રીમાં પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે ડાર્ક કોમ્પ્લેક્શનને કારણે ઘણી વખત તેમને રિજેક્ટ કરવામાં આવ્યો અને એકવાર સિલેક્ટ થયા પછી પણ તેને હટાવી દેવામાં આવ્યો.
Read Original Article →