પિતાની નજીક રહેવા બોલિવૂડમાં આવવા માંગતી હતી ત્રિશાલા!:સંજય દત્તની સલાહ પછી એક્ટિંગ છોડી, હાલ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ છે

Entertainment5/2/2026, 10:38:47 AM
પિતાની નજીક રહેવા બોલિવૂડમાં આવવા માંગતી હતી ત્રિશાલા!:સંજય દત્તની સલાહ પછી એક્ટિંગ છોડી, હાલ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ છે
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત એક સમયે બોલિવૂડમાં આવવા માંગતી હતી. તેનું કારણ એક્ટિંગનું સપનું નહોતું, પરંતુ પિતાની નજીક રહેવાનું હતું. ત્રિશાલાએ ઇનસાઇડ થોટ્સ આઉટ લાઉડ પોડકાસ્ટમાં કહ્યું કે બાળપણમાં તેને લાગતું હતું કે ફિલ્મોમાં આવવાથી તે પિતા સાથે વધુ સમય વિતાવી શકશે. ત્રિશાલા, સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. રિચાનું 1996માં બ્રેઈન ટ્યુમરથી નિધન થયું હતું. આ પછી ત્રિશાલા અમેરિકામાં નાના-નાની સાથે ઉછરી. તેણે જણાવ્યું કે જ્યારે તેણે બોલિવૂડમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે સંજય દત્તે પૂછ્યું હતું કે શું એક્ટિંગ તેના માટે ખરેખર પેશન છે. ત્રિશાલાના મતે, તેણે તેના પિતાને કહ્યું હતું કે તે ફક્ત તેની નજીક રહેવા માંગે છે. આના પર સંજય દત્તે સમજાવ્યું કે ફક્ત સ્ટાર કિડ હોવાથી કોઈ એ-લિસ્ટ એક્ટ્રેસ નથી બનાતું. તેણે તેની પુત્રીને તે જ કરવાની સલાહ આપી જેમાં તેની સાચી રુચિ હોય. ત્રિશાલાએ કહ્યું કે તેના પિતા જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે. તેણે હંમેશા તેને સાચી દિશા બતાવવાનો પ્રયાસ કર્યો. બોલિવૂડમાં કારકિર્દી બનાવવાને બદલે, ત્રિશાલાએ સોયકોલોજી ક્ષેત્ર પસંદ કર્યું. તે હવે થેરાપિસ્ટ છે. તેણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં મેન્ટલ હેલ્થ વિશે ઓછી વાત બહાર આવે છે. તે લોકોને કહેવા માંગતી હતી કે સંઘર્ષ સામાન્ય છે. ત્રિશાલાએ દીપિકા પાદુકોણની પણ પ્રશંસા કરી, જેણે ડિપ્રેશન વિશે ખુલીને વાત કરી હતી. ત્રિશાલાએ જણાવ્યું કે તેણે માતા-પિતા સાથે સામાન્ય પારિવારિક જીવન જીવ્યું નથી. તે બાળપણથી અમેરિકામાં રહી અને ભારતમાં ઓછી આવી શકતી હતી. જોકે, તેણે કહ્યું કે જ્યારે પણ તે સંજય દત્ત સાથે હોય છે, ત્યારે તેને સામાન્ય પિતા-પુત્રી જેવો સંબંધ અનુભવાય છે.
Read Original Article →