આદિત્ય ધરે સ્ક્રિપ્ટ ચોરી કરીને 'ધુરંધર 2' બનાવી?:લેખક સંતોષ કુમારનો દાવો, કહ્યું- 2023માં લખી હતી, ઘણા પ્રોડક્શન હાઉસને મોકલી પણ હતી

Entertainment4/1/2026, 9:20:44 AM
આદિત્ય ધરે સ્ક્રિપ્ટ ચોરી કરીને 'ધુરંધર 2' બનાવી?:લેખક સંતોષ કુમારનો દાવો, કહ્યું- 2023માં લખી હતી, ઘણા પ્રોડક્શન હાઉસને મોકલી પણ હતી
સાઉથ ફિલ્મોના રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સંતોષ કુમારે તાજેતરમાં 'ધુરંધર 2'ની સ્ક્રિપ્ટ લખવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આ સ્ક્રિપ્ટ તેણે 2023 માં લખી હતી, જેને હવે ધુરંધર 2 ના નામથી બનાવવામાં આવી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેની પાસે આ સંબંધિત ઘણા પુરાવા છે. જોકે અત્યાર સુધી તેણે ન તો પુરાવા રજૂ કર્યા છે અને ન તો મેકર્સ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી છે. રાઈટર સંતોષ કુમારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને 'ધુરંધર 2'ની સ્ક્રિપ્ટ ચોરવાના આરોપો લગાવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘તમે બધાએ જોયું હશે કે ફિલ્મ ખૂબ સારી ચાલી રહી છે. આ મૂવી જોયા પછી મને ખબર પડી કે આ મારી સ્ક્રિપ્ટ છે. મારી વાર્તા છે. મેં આ ખૂબ મહેનતથી કર્યું હતું. 2023 માં મેં અહીં આવીને ઘણી બધી કંપનીઓને સ્ટોરી સંભળાવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે જો તમને મોટો એક્ટર જોઈએ છે, તો મોટી કોર્પોરેટ કંપની લઈને આવો. હું સોની પાસે ગયો, ઝી પાસે ગયો, ટી-સિરીઝ પાસે ગયો, ધર્મા પ્રોડક્શન પાસે ગયો.’ આગળ તેમણે કહ્યું, ‘મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ માટે આદિત્ય રોય કપૂર જોઈતો હતો. મેં ખૂબ પ્રયાસ કર્યો. મેં ઘણા ડિરેક્ટર્સને સ્ક્રિપ્ટ મોકલી. હું સ્ક્રીનરાઈટર એસોસિએશનનો ભાગ હતો, મેં ત્યાં પણ નવેમ્બર 2023માં સ્ક્રિપ્ટ રજીસ્ટર કરાવી છે. મારી પાસે બધા પુરાવા છે. મારી પાસે તસવીરો છે, સ્ક્રિપ્ટ છે, સ્કેચ છે. હું આ ફિલ્મ વિરુદ્ધ કેસ કરી રહ્યો છું. ફિલ્મ સારી છે, પરંતુ તે લોકોએ મારા કામનો દુરુપયોગ કર્યો છે. ફિલ્મ સિનેમા એન્ટરટેઈનમેન્ટ હતી, પરંતુ તેમણે તેને પોલિટિકલ પ્રોપેગેન્ડા બનાવી દીધો.’ દિવ્ય ભાસ્કરે આ દાવાઓ પર ધુરંધર-2 ના મેકર્સનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમાચાર લખાયા ત્યાં સુધી ટીમ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મીડિયા સાથેની વાતચીતમાં સંતોષ કુમારે એ પણ કહ્યું છે કે તેમની જેમ સાઉથમાંથી ઘણા લેખકો આવે છે, પરંતુ તેમને અહીં કામ મળતું નથી અને પછી તેમની જ સર્જનાત્મકતાનો દુરુપયોગ કરવામાં આવે છે.
Read Original Article →