'સૈયારા' સ્ટાર અનીત પડ્ડાના દાદાનું અવસાન:લાંબા સમયથી અલ્ઝાઈમરથી પીડાઈ રહ્યા હતા, એક્ટ્રેસે હૃદયસ્પર્શી નોંધ લખી શ્રદ્ધાંજલિ પાઠવી
'સૈયારા' સ્ટાર અનીત પડ્ડાના દાદાનું નિધન થયું. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને અવસાનની જાણકારી આપી. 'તમારી યાદો અને પ્રેમને હું સાચવીને રાખીશ' અનીતે પોસ્ટમાં લખ્યું, 'મારા જીવનનો સૌથી મોટો પ્રેમ. તમે ધીમે ધીમે દૂર જઈ રહ્યા હતા, પરંતુ તમે 'માખણ'ને ભૂલ્યા નહીં. જ્યારે યાદો સાથ નહોતી આપી રહી, ત્યારે પણ તમે પ્રેમને પકડી રાખ્યો. હવે હું બંનેને સાચવીને રાખીશ, તમારી યાદો અને તમારો પ્રેમ. અમારી સાથે વિતાવેલી દરેક પળને હું હંમેશા મારી સાથે રાખીશ. હું એક સારી વ્યક્તિ બનીશ.' એક્ટ્રેસે આગળ લખ્યું, 'તમારી મજાક યાદ રાખીશ અને દરેક પ્રસંગે તેમને દોહરાવીશ. તમારી ભલાઈ અને તમારી રોશનીને દરેક અંધારામાં ફેલાવીશ. તમારી વાર્તાઓ દુનિયાને સંભળાવીશ. તમારો પ્રેમ મારા દિલમાં રાખીશ, તમે મને સૌથી સાચો અને બિનશરતી પ્રેમ શીખવ્યો છે.' 'હું તમને હંમેશા મારી સાથે રાખીશ' પોસ્ટના અંતે એક્ટ્રેસે લખ્યું, ‘હું તમને હંમેશા મારી સાથે રાખીશ. આજે મેં આકાશમાં સૌથી ચમકતો તારો જોયો અને સમજી ગઈ કે તમે ત્યાં જ છો. હું તમને પ્રેમ કરું છું… ખૂબ-ખૂબ પ્રેમ કરું છું, દાદુ. હંમેશા, સમયથી પણ આગળ સુધી.’ નોંધનીય છે કે, અનીતના દાદા લાંબા સમયથી અલ્ઝાઈમરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમની યાદશક્તિ એટલી નબળી પડી ગઈ હતી કે તેઓ પોતાનું નામ અને પરિવારના સભ્યોને પણ ભૂલી ગયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનીત જલ્દી જ ડિરેક્ટર મોહિત સૂરીની ફિલ્મમાં ફરી એકવાર એક્ટર અહાન પાંડે સાથે જોવા મળશે. આ ઉપરાંત તે મેડૉકની ફિલ્મ 'શક્તિ શાલિની'માં પણ કામ કરી રહી છે.
Read Original Article →