આવતીકાલે સ્ટ્રીમ થશે રણવીર સિંહની 'ધુરંધર'નું નવું વર્ઝન:કોઈ પણ કટ વગર રિલીઝ થશે; હાઈકોર્ટની તપાસ વચ્ચે મેકર્સનો નિર્ણય

Entertainment5/21/2026, 11:13:55 AM
આવતીકાલે સ્ટ્રીમ થશે રણવીર સિંહની 'ધુરંધર'નું નવું વર્ઝન:કોઈ પણ કટ વગર રિલીઝ થશે; હાઈકોર્ટની તપાસ વચ્ચે મેકર્સનો નિર્ણય
રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર'નું અનકટ વર્ઝન 'ધુરંધર રો એન્ડ અનદેખા' આવતીકાલે એટલે કે 22 મેથી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહ્યું છે. નેટફ્લિક્સ અને જિયોહોટસ્ટારે બુધવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. 'ધુરંધર રો એન્ડ અનદેખા' વર્ઝન હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ ફિલ્મ ગયા વર્ષે 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારબાદ 30 જાન્યુઆરીએ તેને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના બીજા ભાગમાં સેનાની ગુપ્ત માહિતી દર્શાવવાના આરોપો પર કેન્દ્ર સરકાર અને સેન્સર બોર્ડને તપાસ કરવા જણાવ્યું છે. 'ધુરંધર 2' ની સ્ટ્રીમિંગ ડેટ પણ નક્કી મેકર્સે ફિલ્મના બીજા ભાગ 'ધુરંધર: ધ રિવેન્જ રો એન્ડ અનદેખા' ની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. આ ભાગનું પ્રીમિયર 4 જૂને સાંજે 7 વાગ્યે થશે. ત્યારબાદ 5 જૂનથી દર્શકો તેને ફક્ત જિયોહોટસ્ટાર પર જોઈ શકશે. ફિલ્મના બંને ભાગે બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ બનાવ્યા છે અને બંને ફિલ્મોની વાર્તાને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. બીજા ભાગ પર કાનૂની વિવાદ ચાલી રહ્યો છે ફિલ્મનું નવું વર્ઝન એવા સમયે આવી રહ્યું છે જ્યારે તેના બીજા ભાગને લઈને દિલ્હી હાઈકોર્ટમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. સશસ્ત્ર સીમા બળ (SSB)ના હેડ કોન્સ્ટેબલ દીપક કુમારે કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં સેનાના ઓપરેશન્સ સાથે જોડાયેલી ગુપ્ત જાણકારીઓ બતાવવામાં આવી છે, જેનાથી દેશની સુરક્ષા અને અખંડિતતાને ખતરો થઈ શકે છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને સેન્સર બોર્ડને નિર્દેશ આપ્યા આ મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ભલે ફિલ્મ કાલ્પનિક હોય, પરંતુ એક સુરક્ષાકર્મી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને છોડી શકાય નહીં. કોર્ટે કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આ વાતની તપાસ કરવામાં આવે કે શું ફિલ્મથી ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટનું ઉલ્લંઘન થયું છે. બંને પાર્ટે વર્લ્ડવાઇડ ₹3000 કરોડ કમાવ્યા રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર' અને ‘ધુરંધર 2’એ મળીને વિશ્વભરમાં 3,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ પછી, તે 3,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરતા ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાનો રેકોર્ડ બનાવ્યો. ફિલ્મે અત્યાર સુધી ભારતમાં લગભગ ₹1145 કરોડનું નેટ કલેક્શન અને વિશ્વભરમાં લગભગ ₹1797 કરોડની ગ્રોસ કમાણી કરી છે. જ્યારે 5 ડિસેમ્બર 2025 માં રિલીઝ થયેલી ધુરંધરે વિશ્વભરમાં લગભગ ₹1,307.35 કરોડનું કલેક્શન કર્યું હતું.
Read Original Article →