'હું દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાઈ રહ્યો છું':પ્રકાશ રાજનો પરિણીતિના પતિ રાઘવ ચઢ્ઢા પર કટાક્ષ; AAP છોડી સાંસદે કેસરિયા ધારણ કરતા 'સિંઘમ' એક્ટરનો પલટવાર
આમ આદમી પાર્ટી છોડીને BJPમાં સામેલ થનારા સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાના પતિ રાઘવ ચઢ્ઢા પર 'સિંઘમ' એક્ટર પ્રકાશ રાજે કટાક્ષ કર્યો છે. 'હું પોલીસ ફોર્સ છોડી રહ્યો છું' પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું પોલીસ ફોર્સ છોડી રહ્યો છું કારણ કે તેઓ અપરાધ સામે લડવાના પોતાના મૂલ્યોથી ભટકી ગયા છે. તેથી હું દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાઈ રહ્યો છું - રાઘવ ચડ્ડી.’ આ સાથે તેમણે હસતો ઇમોજી અને #justasking પણ લખ્યું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રકાશ રાજની ઘણી ભાષાઓમાં ઘણી ફિલ્મો આવવાની છે. તેઓ 'જન નાયકન' (તમિલ), 'G2' (તેલુગુ), 'વરસની' (તેલુગુ), 'સ્પિરિટ' (તેલુગુ), 'ફાધર' (કન્નડ) અને 'મિરેકલ' (તમિલ) માં જોવા મળશે. 'જન નાયકન' અને 'જી2' આ જ વર્ષે રિલીઝ થવાની છે, જ્યારે 'વરસની' અને 'સ્પિરિટ' 2027માં રિલીઝ થશે. રાઘવ ચઢ્ઢા BJPમાં સામેલ થયા શુક્રવારે સાંજે આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી 7 સાંસદોએ પાર્ટી છોડી દીધી. તેની જાહેરાત પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં કરી. ત્યારબાદ તે ભાજપ કાર્યાલય પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને રાઘવ સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. રાઘવે જણાવ્યું હતું કે, રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક અને અશોક કુમાર મિત્તલ ઉપરાંત હરભજન સિંહ, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા પણ તેમની સાથે છે. રાઘવે કહ્યું, પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં રાઘવે કહ્યું કે પાર્ટીના બે તૃતીયાંશ સાંસદોએ આ નિર્ણય લીધો છે. તેથી પક્ષપલટા વિરોધી કાયદો લાગુ કરવાનો કોઈ અર્થ નથી. રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "છેલ્લા કેટલાક વર્ષોથી મને એવું લાગતું હતું કે આઈ એમ અ રાઈટ મેન ઈન રોન્ગ પાર્ટી. અમે બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળી જવાનો નિર્ણય લીધો છે." 2024ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબમાં ત્રણ બેઠકો જીતી હતી. 2 વર્ષ પહેલા રાઘવે સંકેત આપ્યા હતા 21 માર્ચ 2024 ના રોજ લોકસભા ચૂંટણી પહેલાં જ્યારે દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. ત્યારે રાઘવે ન કંઈ બોલ્યા, ન કંઈ લખ્યું. ફેબ્રુઆરી 2025 માં જ્યારે દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યા, ત્યારે AAP ને કારમી હાર મળી. માત્ર 22 બેઠકો જીતી. જ્યારે BJP એ 48 બેઠકો જીતીને સરકાર બનાવી. ત્યારે રાઘવ મૌન રહ્યા. પાર્ટીના કોઈ કાર્યક્રમમાં પણ દેખાયા નહીં. 2025ની શરૂઆતમાં જ રાઘવના સોશિયલ મીડિયા પરથી AAPના બેનર અને ચૂંટણી ચિહ્ન હટવા લાગ્યા. AAPમાં ચર્ચા થવા લાગી કે રાઘવ પાર્ટીને બદલે પર્સનલ બ્રાન્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ન પાર્ટી ઓફિસ આવે છે, ન કોઈ નેતાને મળે છે. 27 ફેબ્રુઆરી 2026 ના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના અન્ય આરોપીઓને લીકર પોલિસી કૌભાંડમાં CBIના કેસમાંથી નિર્દોષ છોડી મૂક્યા. AAPએ આની ઉજવણી કરી, પરંતુ રાઘવ ગેરહાજર રહ્યા. ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યા પછી રાઘવ ચઢ્ઢાએ પાર્ટીલાઇન પર સંસદમાં બોલવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં જ્યારે પાર્ટી વ્હીપ હેઠળ AAP સાંસદોએ વોકઆઉટ કર્યું, ત્યારે રાઘવ ગૃહમાં હાજર રહ્યા. AAP નેતાઓનું ભાજપમાં જોડાવું ભાસ્કરના કાર્ટૂનિસ્ટ ચંદ્રશેખર હાડા અને સંદીપ પાલની નજરે… રાઘવ સાથે પાર્ટી છોડનારા 7 સાંસદો વિશે જાણો...
Read Original Article →