હની સિંહના મુંબઈ કોન્સર્ટના આયોજકો સામે FIR:એરપોર્ટ નજીક ગેરકાયદે લેસર લાઇટનો ઉપયોગ કર્યો; ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી થઈ

Entertainment4/1/2026, 5:14:19 AM
હની સિંહના મુંબઈ કોન્સર્ટના આયોજકો સામે FIR:એરપોર્ટ નજીક ગેરકાયદે લેસર લાઇટનો ઉપયોગ કર્યો; ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી થઈ
મુંબઈના MMRDA ગ્રાઉન્ડમાં યોજાયેલા રેપર યો યો હની સિંહના 'માય સ્ટોરી – ઇન્ડિયા ચેપ્ટર' કોન્સર્ટના આયોજકો સામે પોલીસે કેસ દાખલ કર્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે પોલીસની મનાઈ હોવા છતાં એરપોર્ટ ઝોન નજીક ખતરનાક લેસર લાઇટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કોન્સર્ટ 28 માર્ચ 2026 ના રોજ યોજાયો હતો, જેમાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘનની વાત સામે આવી છે. મુંબઈ પોલીસે 'તમન્નાઝ વર્લ્ડવાઇડ'ના પ્રતિનિધિ ઇન્દ્રજીત સિંહ વિરુદ્ધ FIR દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે MMRDA ગ્રાઉન્ડ મુંબઈ એરપોર્ટની ખૂબ નજીક છે, જેના કારણે ત્યાં લેસર લાઇટ્સના ઉપયોગ પર પ્રતિબંધ હતો. તેમ છતાં, પ્રમોટર્સે હાઈ-બીમ લેસર લાઇટ્સનો ઉપયોગ કર્યો. આ લાઇટ્સ પાઇલટોના વિઝનમાં અવરોધ ઊભો કરી શકે છે, જેનાથી વિમાનોની સુરક્ષા માટે મોટો ખતરો ઊભો થઈ શકતો હતો. 12 હજારની પરવાનગી અને પહોંચી ગયા 20 હજાર લોકો FIR મુજબ, આયોજકોએ પોલીસને જાણ કરી હતી કે કાર્યક્રમમાં લગભગ 12,000 લોકો હાજર રહેશે. જોકે, કોન્સર્ટ દરમિયાન ત્યાં વાસ્તવિક ભીડ 18,000 થી 20,000 ની વચ્ચે પહોંચી ગઈ. ક્ષમતા કરતાં વધુ લોકો એકઠા થવાને કારણે પોલીસ માટે સુરક્ષા વ્યવસ્થા સંભાળવી એક મોટો પડકાર બની ગયો. ભીડને નિયંત્રિત કરવામાં ઘણી મુશ્કેલી પડી અને પરિસ્થિતિ અનિયંત્રિત થવાનો ભય રહ્યો. ગેટ કૂદીને જતી મહિલાનો વીડિયો વાઈરલ થયો 28 માર્ચના રોજ યોજાયેલા આ શો દરમિયાન અફરાતફરીના અનેક દ્રશ્યો જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા કોન્સર્ટના બંધ ગેટ પર ચઢીને અંદર જવાનો પ્રયાસ કરી રહી છે. ઘણા ચાહકોએ સુરક્ષા ઘેરો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટનો આદેશ અને પોલીસની કાર્યવાહી આ મામલે કાનૂની પાસું એ છે કે સપ્ટેમ્બર 2024માં બોમ્બે હાઈકોર્ટે સાર્વજનિક સ્થળોએ લેઝર લાઈટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે વૈજ્ઞાનિક પુરાવા વિના તેના પર પ્રતિબંધ લગાવી શકાય નહીં. જોકે, કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે જો પોલીસને લાગે કે લાઇટ્સ ખતરનાક છે અથવા સુરક્ષા માટે ખતરો ઉભો કરી રહી છે, તો તેઓ સંબંધિત લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.
Read Original Article →