સગર્ભાઓ પર આતંકી હુમલાથી 'ગોપી વહુ' ભડકી:દેવોલીના ભટ્ટાચાર્જીએ કહ્યું, 'રાક્ષસોને નરકમાં જગ્યા મળશે'; નાઇજીરીયામાં 11 લોકોની હત્યાથી એક્ટ્રેસ દુઃખી

Entertainment5/14/2026, 1:31:17 PM
સગર્ભાઓ પર આતંકી હુમલાથી 'ગોપી વહુ' ભડકી:દેવોલીના ભટ્ટાચાર્જીએ કહ્યું, 'રાક્ષસોને નરકમાં જગ્યા મળશે'; નાઇજીરીયામાં 11 લોકોની હત્યાથી એક્ટ્રેસ દુઃખી
'સાથ નિભાના સાથિયા' સિરિયલમાં ગોપી બહુના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્જીએ નાઇજીરીયામાં મહિલાઓ પર થયેલા આતંકી હુમલા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં આતંકીઓએ સગર્ભાઓ અને બાળકો સાથે ઘણી ક્રૂરતા કરી, જેને જોઈને એક્ટ્રેસે આ હુમલાખોરોને 'રાક્ષસ' અને 'શૈતાન' ગણાવ્યા છે. 'નરકમાં ખાસ જગ્યા મળશે' દેવોલીનાએ આ બર્બર ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, 'એકદમ રાક્ષસ અને શૈતાની પ્રવૃત્તિ. આ રાક્ષસો માટે નરકમાં ખાસ જગ્યા છે, જેને તેઓ સ્વર્ગ સમજે છે.' એક્ટ્રેસ તે વીડિયો પર ભડકી ગઈ હતી, જેમાં આતંકીઓએ નિર્દોષ પરિવારો અને ગર્ભવતીઓને પોતાના નિશાન બનાવ્યા. સગર્ભાઓ સાથે કરાયેલી ક્રૂરતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાઇજીરીયાના એક ખ્રિસ્તી ગામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. જે પરિવારો ત્યાંથી ભાગી ન શક્યા, તેમના પર આતંકવાદીઓએ કુહાડીઓ વડે હુમલો કર્યો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'આ આતંકવાદીઓએ ગર્ભવતી મહિલાઓને પકડી લીધી અને તેમના પેટ પર હુમલા કર્યા. એટલું જ નહીં, તે મહિલાઓને તેમના બાળકોને તેમની આંખો સામે મરતા જોવા માટે મજબૂર કરવામાં આવી.' 11 ખ્રિસ્તીઓની હત્યા સીબીએન (CBN) ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ હુમલો 8 મેની રાત્રે થયો હતો. હથિયારબંધ ફુલાની આતંકવાદીઓએ આ ખ્રિસ્તી સમુદાય પર હુમલો કર્યો, જેમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓ સહિત 11 લોકોની હત્યા કરવામાં આવી. હુમલામાં બંદૂકો અને ચાકુઓનો ઉપયોગ થયો હતો. બંગાળ ચૂંટણીમાં પણ ચર્ચામાં રહી હતી દેવોલીના ભટ્ટાચાર્જી તાજેતરમાં ત્યારે પણ ચર્ચામાં રહી હતી, જ્યારે તેણે મે 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ભાજપની જીતનું સમર્થન કર્યું હતું અને મમતા બેનર્જીને બંગાળ માટે 'ખરાબ સ્વપ્ન' ગણાવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →