'કલ હો ના હો'ની સ્વીટીએ છૂટાછેડા પછી ભરણપોષણ માંગ્યું નહોતું:ડેલનાઝ ઈરાનીએ કહ્યું, 'મારા માટે પૈસા કરતાં માનસિક શાંતિ વધારે જરૂરી હતી'

Entertainment4/11/2026, 6:58:51 AM
'કલ હો ના હો'ની સ્વીટીએ છૂટાછેડા પછી ભરણપોષણ માંગ્યું નહોતું:ડેલનાઝ ઈરાનીએ કહ્યું, 'મારા માટે પૈસા કરતાં માનસિક શાંતિ વધારે જરૂરી હતી'
એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીએ તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં પૂર્વ પતિ રાજીવ પોલ પાસેથી છૂટાછેડા (2012) પછી ભરણપોષણ ન લેવાની વાત કહી. તેણે જણાવ્યું કે, તેમના લગ્ન 1998માં થયા હતા, બંને 2010માં અલગ થયા હતા અને તેણે કાનૂની લડાઈ કરતાં માનસિક શાંતિને પ્રાધાન્ય આપ્યું. 'ભાવનાત્મક રીતે ભાવુક સમય હતો' ડેલનાઝ ઈરાનીએ 'હોટરફ્લાય'ને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાના સંબંધો વિશે ખtલીને વાત કરી. તેણે જણાવ્યું કે, તેના માટે છૂટાછેડા લેવાનો નિર્ણય સરળ નહોતો, કારણ કે તે એક પારસી મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે, જ્યાં છૂટાછેડા સામાન્ય બાબત રહી નથી. તેણે કહ્યું કે, 'મારા પરિવારમાં લાંબા સમય સુધી સંબંધો નિભાવવામાં આવ્યા છે, તેથી આ ભાવનાત્મક રીતે મારા માટે મુશ્કેલ સમય હતો.' 'એક પાર્ટનરને છૂટાછેડા જોઈતા હતા, બીજાને નહીં' ડેલનાઝ અનુસાર, મીડિયામાં 2010માં સેપરેશનના સમાચાર આવ્યા, પરંતુ તેમના સંબંધોમાં તિરાડ ઘણી પહેલા આવી ગઈ હતી. તેણે એમ પણ કહ્યું કે, તેણે પોતાના માતા-પિતાથી લગ્નમાં ચાલી રહેલી સમસ્યાઓને છુપાવી રાખી હતી. તેના પિતાને 2010માં હાર્ટ એટેક આવ્યો હતો અને 2011માં તેમનું નિધન થયું. એલિમનીને લઈને ડેલનાઝે કહ્યું, 'મને કંઈ પણ મળ્યું નથી. ખરેખરમાં, જે મારું હતું, મેં તેને જવા દીધું. એવું નથી કે મેં કોઈ વસ્તુને પોતાની પાસે રાખી હોય.' એક્ટ્રેસે કહ્યું કે, 'છૂટાછેડા ખૂબ જ જટિલ હતા કારણ કે એક પાર્ટનર છૂટાછેડા ઈચ્છતો હતો અને બીજો નહીં. પણ મેં તેને એમ જ છોડી દીધું. મેં તેને જવા દીધું કારણ કે મેં દરેક વસ્તુથી ઉપર મારી શાંતિ પસંદ કરી.' નોંધનીય છે કે, ડેલનાઝ અને રાજીવ પોલની મુલાકાત 1993માં ટીવી શો 'પરિવર્તન'ના સેટ પર થઈ હતી, ત્યારબાદ 1998માં લગ્ન થયા. જોકે, પરસ્પર મતભેદોને કારણે 14 વર્ષ પછી તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો. છૂટાછેડા પછી ડેલનાઝ ઈરાની લાંબા સમયથી ડીજે પર્સી કરકરિયા સાથે રિલેશનશિપમાં છે. જ્યારે, રાજીવ પોલ હાલ સિંગલ લાઈફ જીવી રહ્યા છે.
Read Original Article →