ધર્મેન્દ્રના નિધન પર ભાવુક થયો બોબી દેઓલ:પપ્પા સાથે વધુ સમય ન વિતાવી શકાયનો પસ્તાવો; કહ્યું- દુઃખે ઈશા અને અહાનાને નજીક લાવ્યા
બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રના નિધનને લગભગ 140 દિવસ વીતી ગયા છે. તેમના નાના પુત્ર બોબી દેઓલે પિતાના અવસાન પછી પોતાનો પહેલો ઇન્ટરવ્યુ આપ્યો છે. બોબીએ જણાવ્યું કે તેમના પપ્પાના મૃત્યુએ તેને અંદરથી હચમચાવી દીધો છે. આ દરમિયાન તેણે પોતાના પસ્તાવા અને સાવકી બહેનો ઈશા અને અહાના દેઓલ સાથેના બદલાતા સંબંધો વિશે પણ ખુલીને વાત કરી. પપ્પા સાથે વધુ સમય ન વિતાવી શક્યો તેનો અફસોસ છે
બોબી દેઓલે એસ્ક્વાયર ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે- તે તેમના પપ્પા સાથે વધુ ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગતો હતો. બોબીએ ભાવુક થતા કહ્યું- ‘ઘણા એવા દિવસો હોય છે જ્યારે મને લગાતું કે કાશ હું પપ્પા સાથે વધુ સમય પસાર કરી શકયો હોત. મેં તેમને વધુ સવાલો પૂછ્યા હોત. હવે હું મારા પુત્રો, પત્ની અને પરિવાર સાથે રહેવા પ્રત્યે વધુ સજાગ રહું છું. બોક્સ ઓફિસ, રિવ્યૂ અને રોલ્સ... આ બધું અંતે મહત્વનું નથી.’ ઇન્સ્ટાગ્રામ પર આજે પણ ધર્મેન્દ્રની રીલ્સ જુએ છે
સફળતાનો અર્થ સમજાવતા બોબીએ કહ્યું કે સફળતા એ વાતથી માપવામાં આવે છે કે તમે તમારા પ્રિયજનો સાથે કેટલો સમય વિતાવી શકો છો. તેણે કહ્યું, પોતાના લોકો વગર શું ફેમ અને શું સંપત્તિ? હું આજે પણ ઇન્સ્ટાગ્રામ પર તેમની (ધર્મેન્દ્ર) રીલ્સ જોતો રહું છું. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ અને ઉષ્માભર્યા વ્યક્તિ હતા. ક્યારેક-ક્યારેક લાગે છે કે તેઓ રીલ દ્વારા સીધા મારી સાથે જ વાત કરી રહ્યા છે. દુઃખ ઈશા-અહાનાને નજીક લાવ્યું
ધર્મેન્દ્રના નિધન પછી દેઓલ પરિવારમાં એક સકારાત્મક બદલાવ આવ્યો છે. બોબીએ જણાવ્યું કે આ દુઃખે તેમને પોતાની સાવકી બહેનો ઈશા અને અહાના દેઓલની નજીક લાવી દીધા છે. બોબીએ કહ્યું, અમે બધા પોતપોતાની રીતે આ દુઃખનો સામનો કરી રહ્યા છીએ. ક્યારેક ક્યારેક દુઃખના કારણે લોકો એકબીજાને ખોટી રીતે સમજી લે છે, પરંતુ સમય જતાં બધું બરાબર થઈ જાય છે. કોઈ પોતાનાને ગુમાવવું પરિવારને નજીક લાવવાનો પોતાનો રસ્તો જાણે છે. ધર્મેન્દ્રને પણ પોતાના પિતા માટે અફસોસ હતો
બોબીએ એક જૂની યાદ શેર કરતા જણાવ્યું કે તેમના પિતા અવારનવાર કવિતાઓ અને છંદો સંભળાવતા હતા. તે કવિતાઓમાં ધર્મેન્દ્રનો પોતાના પિતા સાથે વધુ સમય ન વિતાવી શકવાનો દર્દ અને પસ્તાવો ઝળકતો હતો. બોબીએ કહ્યું, તેમની વાતોએ મને ખૂબ પ્રભાવિત કર્યો. મને લાગે છે કે આ જીવનનું એક ચક્ર છે, જે પેઢી દર પેઢી ચાલતું રહે છે. 24 નવેમ્બરે થયું હતું નિધન
ધર્મેન્દ્રનું નિધન 24 નવેમ્બરે મુંબઈમાં 89 વર્ષની ઉંમરે થયું હતું. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના 12 દિવસ પછી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન સહિત બોલિવૂડના ઘણા મોટા સિતારાઓ પહોંચ્યા હતા.
Read Original Article →