'બિગ બોસ મરાઠી 6' પર સોનાલી રાઉતના ગંભીર આરોપો:ખાવામાંથી વંદા અને મરેલા ઉંદરો મળવાથી સ્પર્ધકોની સુરક્ષા પર સવાલ

Entertainment4/19/2026, 4:30:00 AM
'બિગ બોસ મરાઠી 6' પર સોનાલી રાઉતના ગંભીર આરોપો:ખાવામાંથી વંદા અને મરેલા ઉંદરો મળવાથી સ્પર્ધકોની સુરક્ષા પર સવાલ
રિયાલિટી શો ‘બિગ બોસ મરાઠી 6’ ફરી વિવાદોમાં આવી ગયો છે. આ વખતે પૂર્વ કન્ટેસ્ટન્ટ સોનાલી રાઉતે ઘરની અંદરની સ્થિતિ પર ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સોનાલીએ X (પૂર્વ ટ્વિટર) એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે ઘરમાં સાફ-સફાઈ ખૂબ જ ખરાબ હતી. તેણે આરોપ લગાવ્યો કે ખાવામાં ગંદકી મળતી હતી અને ઘણી વાર તેમાં કોકરોચ અને મરેલા ઉંદરો દેખાતા હતા. તેણે કહ્યું કે આ કારણે ત્યાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું અને તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. એક્ટ્રેસે જણાવ્યું કે ગંદકીભર્યા વાતાવરણને કારણે તેમને ત્વચા સંબંધિત ગંભીર સમસ્યા થઈ ગઈ. તેનું કહેવું છે કે આ માત્ર અસુવિધા જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે ખતરનાક સ્થિતિ હતી. સોનાલીએ ખુલાસો કર્યો કે ઘરમાં સુવિધાઓ અત્યંત મર્યાદિત હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડતી ગઈ. તેણે કહ્યું કે આટલા મોટા શોમાં આવી વ્યવસ્થા આઘાતજનક છે. સોનાલી રાઉતે પોસ્ટમાં કહ્યું કે આ અનુભવે તેને માનસિક અને શારીરિક રીતે અસર કરી. તેણે સંકેત આપ્યો કે આ મામલે તેને આર્થિક નુકસાન પણ ભોગવવું પડ્યું. મામલાને ગંભીર ગણાવતા સોનાલીએ પ્રોડક્શન ટીમ સામે નારાજગી વ્યક્ત કરી. આ આરોપો બાદ બિગ બોસ મરાઠી 6 ની કામગીરી અને કન્ટેસ્ટન્ટ્સની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.
Read Original Article →