'અભી ના જાઓ છોડ કર...':92 વર્ષની ઉંમરે આશા ભોસલેએ લીધા અંતિમ શ્વાસ, આવતીકાલે શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર

Entertainment4/12/2026, 7:18:09 AM
'અભી ના જાઓ છોડ કર...':92 વર્ષની ઉંમરે આશા ભોસલેએ લીધા અંતિમ શ્વાસ, આવતીકાલે શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર
ભારતીય સંગીત જગત માટે આજે એક અત્યંત દુઃખદ અને ક્યારેય ન પુરાય તેવી ખોટનો દિવસ છે. સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોસલેએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાત દાયકાથી વધુ સમય સુધી પોતાની મધુર અને દમદાર ગાયકીથી સંગીત પ્રેમીઓને ઘેલા કરનાર આશાતાઈનો અવાજ આજે હંમેશ માટે શાંત થઈ ગયો છે. તેમને શનિવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમાચાર આવ્યા હતા કે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, સાથે જ છાતીમાં પણ કેટલીક સમસ્યા હતી. બાદમાં તેમની પૌત્રી જનાઈ ભોસલેએ કહ્યું હતું કે તેમને માત્ર થાક અને છાતીમાં તકલીફ છે. તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે. તેમના પુત્ર આનંદ ભોસલેએ જણાવ્યું, “આજે તેમનું નિધન થયું છે. જે લોકો અંતિમ દર્શન કરવા માંગે છે, તેઓ આવતીકાલે સવારે 11 વાગ્યે તેમના ઘરે આવી શકે છે. અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે.” આશાતાઈના નિધનને લઈને પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો….
Read Original Article →