ઉનાળામાં શિવલિંગ પર ઠંડુ જળ ચઢાવવાની પરંપરા:પૂજા-પાઠની માન્યતાઓ: તાંબા કે ચાંદીના વાસણથી શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ, ગંગાજળ પણ ભેળવો
હાલમાં જેઠ અધિક માસ ચાલી રહ્યો છે અને આ દિવસોમાં ગરમી તેની ચરમસીમા પર છે. જેઠ અધિક માસમાં ભગવાન વિષ્ણુની સાથે શિવજીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ગરમીના દિવસોમાં શિવલિંગ પર ઠંડુ જળ ચઢાવવાની પરંપરા છે. શાસ્ત્રો અનુસાર, શિવલિંગ પર જલાભિષેક કરવાથી ભક્તના પાપોનો નાશ થાય છે અને તેને શાંતિ મળે છે. એવી માન્યતા છે કે જળ ચઢાવવાથી શિવજીનો તાપ શાંત થાય છે અને તેઓ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, જે ભક્ત શ્રદ્ધા ભાવથી શિવલિંગ પર ઠંડુ જળ ચઢાવે છે, તેને પુણ્ય, આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. જો ઠંડા ગંગાજળથી અભિષેક કરવામાં આવે તો તે ખૂબ જ શુભ રહેશે. ઠંડુ જળ ચઢાવવાની પરંપરા શા માટે? પૌરાણિક કથા છે કે સમુદ્ર મંથન સમયે નીકળેલા કાલકૂટ વિષને ભગવાન શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું હતું. વિષને કારણે શિવજીને ખૂબ જ બળતરા થઈ રહી હતી, આ બળતરાને શાંત કરવા માટે ઋષિ-મુનિઓ અને દેવતાઓએ ભગવાન પર જળ અર્પણ કર્યું. આ રીતે શિવજીનો અભિષેક કરવાથી ભગવાનને વિષની બળતરામાંથી મુક્તિ મળી ગઈ. ત્યારથી શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. જળ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો પૂજામાં આ મંત્રોનો જાપ કરો
Read Original Article →