હનુમાન પ્રાગટ્ય ઉત્સવ પર સર્જાયો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’:મંગળનું મીન રાશિમાં 'મંગળ' ગોચર; વૃષભ, મિથુન, કર્ક સહિત 8 રાશિઓ પર સંકટમોચન ખુશખુશાલ
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ દેવ આજે (2 એપ્રિલ) હનુમાન જયંતિના પવિત્ર અવસરે અગ્નિ તત્ત્વની રાશિમાંથી નીકળી જળ તત્ત્વની રાશિ મીનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. મંગળનું આ ગોચર અત્યંત મહત્વનું માનવામાં આવે છે, કારણ કે મીન રાશિમાં મંગળ, શનિ અને સૂર્ય સાથે મળીને એક શક્તિશાળી ‘ત્રિગ્રહી યોગ’ બનાવશે. મંગળ સાહસ, ઊર્જા અને મહત્વાકાંક્ષાનો કારક છે, જ્યારે મીન રાશિ આધ્યાત્મિકતા અને અંતર્જ્ઞાનનું પ્રતીક છે. આ અનોખો સંગમ લોકોના જીવનમાં જૂસ્સો અને સંવેદનશીલતાનું મિશ્રણ લાવશે. ચાલો જાણીએ કઈ રાશિઓ માટે આ સમય ‘મંગળકારી’ સાબિત થશે: રાશિ મુજબ શુભ અસરો વૃષભ રાશિના જાતકો માટે મંગળનું ગોચર આર્થિક ક્ષેત્રે વરદાનરૂપ સાબિત થશે. તમારી આવકમાં વધારો થશે અને લાંબા ગાળાના રોકાણોથી નફો મળશે. સામાજિક વર્તુળ વધશે અને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. આ સમયગાળો આર્થિક સ્થિરતા લાવનારો રહેશે. મિથુન રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના પ્રબળ યોગ છે. જો તમે લાંબા સમયથી વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ ‘ગોલ્ડન પીરિયડ’ છે. કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળી શકે છે જે તમારા સન્માનમાં વધારો કરશે. મીનનો મંગળ કર્ક રાશિ સાથે ‘ત્રિકોણ’ સંબંધ બનાવશે, જે અત્યંત શુભ છે. કરિયરમાં પ્રગતિની સાથે વિદેશ યાત્રા કે ઉચ્ચ શિક્ષણના માર્ગો ખુલશે. ભાગ્યનો સાથ મળતા અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. જમીન-મકાન કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે. સૌથી મહત્વની વાત એ છે કે જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. તુલા રાશિના જાતકો માટે જૂના રોકાણો જે અત્યાર સુધી નુકસાન આપી રહ્યા હતા, તે હવે અચાનક ફાયદો કરાવી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે અને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત તમારા કરિયરની દિશા બદલી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે. શિક્ષણ અને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. શેરબજારમાં રોકાણ સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય ઘણો ઉત્પાદક અને લાભકારી રહેવાની સંભાવના છે. તમારી વાતચીત કરવાની શૈલી પ્રભાવશાળી બનશે, જે બિઝનેસ ડીલ્સ ફાઈનલ કરવામાં મદદરૂપ થશે. નેટવર્કિંગ દ્વારા નવા આર્થિક સ્ત્રોત ઊભા થશે. સમજી-વિચારીને લીધેલા નિર્ણયો આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. મંગળ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી તમે ઊર્જાથી ભરપૂર રહેશો. નેતૃત્વના ગુણો ખીલી ઉઠશે. અંગત જીવન અને વ્યવસાયમાં નવી શરૂઆત કરવા માટે આ પરિવર્તનકારી તબક્કો છે. સાહસિક નિર્ણયો લેવા માટે આ ઉત્તમ સમય છે. હનુમાનજીની વિશેષ કૃપા મેળવવા શું કરશો? આજે 2 એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમા છે. આ તિથિ પર શ્રીરામના પરમભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે. હનુમાનજી કલિયુગમાં સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે લોકો ભગવાન રામના નામનો જાપ કરે છે, સુંદરકાંડ અને રામાયણનો પાઠ કરે છે, તેમને હનુમાનજીની વિશેષ કૃપા મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે હનુમાનજીની પૂજામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બાબતોનું ધ્યાન રાખવાથી પૂજા જલ્દી સફળ થઈ શકે છે… બજરંગબલીની પૂજા આ રીતે કરો પૂજામાં હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો સમયનો અભાવ હોય તો ફક્ત હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. પૂજામાં હનુમાનજીની ત્રણ પરિક્રમા કરવાનું વિધાન છે. મૂર્તિની ચારે બાજુ પરિક્રમા કરવાની જગ્યા ન હોય, તો પોતાની જગ્યાએ ઊભા રહીને જ ત્રણ પરિક્રમા કરી શકાય છે. પૂજા કરનાર ભક્તે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સંકટમોચનની પૂજા કરનાર વ્યક્તિએ મહિલાઓનું સન્માન કરવું જોઈએ. ક્યારેય કોઈ મહિલા પ્રત્યે ખોટા વિચાર મનમાં ન લાવવા જોઈએ. પંચદેવની પૂજા અને દાન-પુણ્ય જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, ચૈત્ર પૂનમ, હનુમાન પ્રાગટ્ય ઉત્સવ અને ગુરુવારના યોગમાં ભગવાન વિષ્ણુ, શ્રીરામ, હનુમાનજીની સાથે ગુરુ ગ્રહની વિશેષ પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. સાથે જ આ તિથિ પર ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે. ચૈત્ર પૂનમના દિવસે કરવામાં આવેલા દાન-પુણ્યથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. અક્ષય પુણ્યનો અર્થ છે એવું પુણ્ય, જેનો પ્રભાવ જીવનભર જળવાઈ રહે છે. તેથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. પોતાની ક્ષમતા અનુસાર ધન, અન્ન, વસ્ત્ર, જૂતા-ચપ્પલનું દાન કરવું જોઈએ. હનુમાનજીના મંદિરમાં નવા કેસરિયા ધ્વજનું દાન કરી શકાય છે. શિવલિંગ પર બીલીપત્ર ચઢાવો પૂર્ણિમાએ શિવલિંગ પર તાંબાના લોટાથી જળ અર્પણ કરો અને 'ૐ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો. પૂજામાં બીલીપત્ર, ધતૂરો, પુષ્પ, ચંદન અને જનોઈ અર્પણ કરો. ભગવાનને મીઠાઈનો ભોગ લગાવો અને દીવો પ્રગટાવી આરતી કરો. બાળ ગોપાલને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો ઘરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ, બાળ ગોપાલનો દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને અભિષેક કરવો જોઈએ. અભિષેક પછી તેમને નવા વસ્ત્રો પહેરાવો અને ફૂલોથી શણગાર કરો. માખણ-મિશ્રીનો ભોગ તુલસી સાથે અર્પણ કરો અને 'કૃં કૃષ્ણાય નમઃ' મંત્રનો જાપ કરો.
Read Original Article →