8 જૂને ગુરુ-શુક્રનું મહામિલન રચશે 'ગજલક્ષ્મી રાજયોગ':મેષ, સિંહ અને કર્ક સહિત 7 રાશિ પર થશે પૈસાનો વરસાદ, જાણો વૈભવી ગ્રહની અશુભ અસરોથી બચવાના ઉપાયો
દ્રિક પંચાંગ અનુસાર, આગામી 8 જૂનનો દિવસ વૈશ્વિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. બ્રહ્માંડના બે સૌથી મોટા અને શુભ ગ્રહો- ગુરુ અને શુક્ર એક અનોખો સંગમ રચવા જઈ રહ્યા છે, જેની અસર કેટલીક રાશિઓના જીવન પર જોવા મળશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, 8 જૂને સુખ, વૈભવ, રોમાન્સ અને ઐશ્વર્યના દાતા શુક્ર દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. વિશેષ વાત એ છે કે જ્ઞાન, ભાગ્ય અને વૃદ્ધિના કારક ગુરુ પહેલે (2 જૂનથી) કર્ક રાશિમાં બિરાજમાન છે. કર્ક એ ગુરુની 'ઉચ્ચ રાશિ' હોવાથી, ઉચ્ચના ગુરુ અને શુક્રના મિલનથી એક દુર્લભ 'ગજલક્ષ્મી રાજયોગ' અને ‘લક્ષ્મી નારાયણ યોગ’નું નિર્માણ થઈ રહ્યું છે. આ મહાસંયોગને કારણે 7 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકવા જઈ રહ્યું છે. ગજલક્ષ્મી યોગ કેવી રીતે બને છે? જ્યારે ગુરુ અને શુક્ર મધ્ય ગૃહમાં, સામસામે અથવા પ્રથમ, ચોથા અને સાતમા ભાવમાં હોય, તો ગજલક્ષ્મી રાજયોગ રચાય છે. કુંડળીમાં જ્યારે રાહુ, કેતુ કે શનિના અશુભ પ્રભાવ વિના ગુરુ અને ચંદ્ર કેન્દ્ર ભાવમાં (1, 4, 7, 10મા ભાવમાં) એકસાથે હોય ત્યારે પણ આ પ્રબળ યોગ બને છે. સનાતન ધર્મમાં માતા લક્ષ્મીના 8 સ્વરૂપો (અષ્ટલક્ષ્મી)માંથી એક સ્વરૂપ ‘ગજલક્ષ્મી’નું છે. આ સ્વરૂપમાં માતા લક્ષ્મી કમળના આસન પર બિરાજમાન છે અને તેમની બંને બાજુએ હાથી પોતાના સૂંઢ વડે જલાભિષેક કરી રહ્યા છે. આ રાજયોગ સક્રિય થવાથી જાતક પર ગજલક્ષ્મી માતાની સીધી કૃપા ઉતરે છે, જેથી વ્યક્તિ રાજા જેવું જીવન જીવવા માટે સક્ષમ બને છે. 7 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર મેષ રાશિના જાતકો માટે આ ગોચર વરદાન સમાન સાબિત થશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળશે અને જૂના દેવામાંથી મુક્તિ મળશે. કાર્યસ્થળ પર તમારી શાખ વધશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. બેંક બેલેન્સમાં મોટો વધારો થતાં તમારો સુવર્ણ સમય શરૂ થશે. શુક્ર તમારી જ રાશિના સ્વામી હોવાથી આ યુતિ તમારા સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે. ખાસ કરીને લેખન, પત્રકારત્વ, કલા કે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી સફળતા અથવા જાહેર સન્માન મળી શકે છે. આ મહાસંયોગ તમારી જ રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. જેના કારણે તમારા આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં ગજબનો નિખાર આવશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે અને લાંબા સમયથી ચાલી રહેલા માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. સિંહ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર બેહદ શુભ છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સર્વોત્તમ સમય છે અને આ સમયગાળામાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. જૂનું રોકાણ આશા કરતાં વધુ રિટર્ન આપશે, જેનાથી આવકમાં બમ્પર ઉછાળો આવશે. આ મહાસંયોગ તમારી રાશિના અગિયારમા એટલે કે આય (આવક) ભાવમાં થવા જઈ રહ્યો છે. પરિણામે તમારી આમદનીમાં જબરદસ્ત વધારો જોવા મળશે. ફસાયેલા પૈસા પાછા મળશે અને વ્યાપારમાં કરવામાં આવેલું રોકાણ મોટો મુનાફો અપાવશે. ધનુ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. અચાનક ધનલાભના યોગો બનશે અને પિતૃક સંપત્તિથી મોટો ફાયદો મળી શકે છે. માનસિક ચિંતાઓ દૂર થશે અને તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી શકશો. ગુરુ તમારી રાશિના સ્વામી છે અને આ યુતિ તમારા પંચમ (શિક્ષણ, પ્રેમ અને સંતાન) ભાવમાં થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ આશીર્વાદથી કમ નથી. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને અણધાર્યો ધનલાભ થશે. સાવધાની અને જ્યોતિષીય સલાહ શુક્રનું આ ગોચર 8 જૂનથી શરૂ થઈને 4 જુલાઈ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન જાતકોએ ઉત્સાહમાં આવીને વધુ પડતો ખર્ચ ન કરવો અને સમજી-વિચારીને જ નાણાકીય નિર્ણયો લેવા. કાર્યસ્થળ કે ઘરમાં કોઈની પણ સાથે નકામી ચર્ચા કે વાદ-વિવાદથી બચવું. અશુભ અસરોથી બચવાના અચૂક ઉપાયો:
Read Original Article →