આજે બુદ્ધ પૂર્ણિમા:ભગવાન વિષ્ણુ, સત્યનારાયણ, ચંદ્ર દેવ અને યમરાજની પૂજાનો પર્વ; પિતૃઓ માટે કરો ધૂપ-ધ્યાન
આજ (1 મે) વૈશાખ મહિનાની પૂનમ છે. આ તિથિને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે. વૈશાખ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુનું વિધિ-વિધાનથી પૂજન કરવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી ભક્તને સુખ-સમૃદ્ધિ મળે છે અને બધા કષ્ટ દૂર થાય છે. વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે, કારણ કે આ જ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. ખાસ વાત એ છે કે આ જ તિથિ પર તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને આ જ તિથિ પર તેમનું મહાપરિનિર્વાણ પણ થયું હતું. આ કારણે વૈશાખ પૂર્ણિમાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ઘણું વધારે છે. ચંદ્ર દેવ અને યમરાજની પૂજાનો પર્વ ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, પૂર્ણિમાની સાંજે ચંદ્ર ઉદય પછી ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ચંદ્રની પૂજા કરવાથી કુંડળીના ચંદ્ર દોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાનું મહત્વ છે. વૈશાખ પૂર્ણિમા પર વ્રત અને પૂજા કરવાથી યમરાજ પ્રસન્ન થાય છે. આ દિવસે પાણી ભરેલું પાત્ર, પંખો, ચપ્પલ, છત્રી, ઘી, ફળ, ખાંડ, ચોખા અને મીઠાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. પૂર્ણિમા પર કરો આ શુભ કાર્યો
Read Original Article →