આવતીકાલે અંગારક ચતુર્થીનું વ્રત:ગણેશજીની સાથે જ હનુમાનજી અને મંગળ ગ્રહની પૂજાનો શુભ યોગ, શિવલિંગ પર ચઢાવો લાલ ફૂલ
આવતીકાલે (મંગળવાર, 5 મે) વૈશાખ વદ ચતુર્થી છે. આ વ્રત ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાની કામનાથી કરવામાં આવે છે. મંગળવારે ચતુર્થી હોવાથી તેને અંગારક ચતુર્થી વ્રત પણ કહેવાય છે. આ યોગમાં ગણેશજીની સાથે હનુમાનજી અને મંગળ ગ્રહની પણ વિશેષ પૂજા કરવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, ચતુર્થી તિથિના સ્વામી ગણેશજી છે. ચતુર્થી તિથિ પર જ ગણેશજીએ અવતાર લીધો હતો. હિન્દી પંચાંગના એક મહિનામાં બે ચતુર્થી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. ગણેશજીના ભક્તો આ બંને ચતુર્થી પર વ્રત કરે છે. આ વ્રતમાં ભક્તો દિવસભર નિરાહાર રહે છે અને સાંજે ચંદ્ર દર્શન પછી ગણેશ પૂજા કરીને વ્રત પૂર્ણ કરે છે. ગણેશ પૂજાની સરળ વિધિ ઘરના મંદિરમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાનને જળ, દૂધ અને પછી જળથી સ્નાન કરાવો. હાર-ફૂલ અને વસ્ત્રોથી શૃંગાર કરો. ચંદનનો તિલક લગાવો. દૂર્વા, ચોખા, જનોઈ સહિત અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો. લાડુ, દૂધથી બનેલી મીઠાઈ અને ફળોનો ભોગ લગાવો. ગણેશજીના 12 નામવાળા મંત્રોનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. ગણેશજીના મંત્રો- ૐ સુમુખાય નમ:, ૐ એકદંતાય નમ:, ૐ કપિલાય નમ:, ૐ ગજકર્ણાય નમ:, ૐ લંબોદરાય નમ:, ૐ વિકટાય નમ:, ૐ વિઘ્નનશાય નમ:, ૐ વિનાયકાય નમ:, ૐ ધૂમ્રકેતવે નમ:, ૐ ગણાધ્યક્ષાય નમ:, ૐ ભાલચંદ્રાય નમ:, ૐ ગજાનનાય ન:। ધૂપ-દીપ પ્રગટાવીને ગણેશજીની આરતી કરો. અંતમાં ભગવાન પાસે જાણી-અજાણી ભૂલો માટે ક્ષમા યાચના કરો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને પોતે પણ લો. મંગળવારનો કારક ગ્રહ છે મંગળ જ્યોતિષમાં મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવ્યો છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મંગળવારનો કારક ગ્રહ પણ મંગળ જ છે. અંગારક ચતુર્થી પર સૌથી પહેલા ગણેશજીની પૂજા કરો. ગણેશજી પછી મંગળ ગ્રહની પૂજા કરો. મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે. તેથી શિવલિંગનો અભિષેક કરો. બીલ્વપત્ર, ધતૂરો, આંકડાના ફૂલની સાથે લાલ ફૂલ પણ ચઢાવવા જોઈએ. મંગળ દેવનું ધ્યાન કરતા શિવલિંગ પર લાલ ગુલાલ ચઢાવો. મંગળ દેવની ભાત પૂજા ખાસ કરીને કરવામાં આવે છે. ભાત પૂજામાં શિવલિંગનો રાંધેલા ચોખાથી શૃંગાર કરવો જોઈએ. ૐ અં અંગારકાય નમ: મંત્રનો જાપ કરતા શિવ પૂજા કરો. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ સંબંધિત દોષ છે, તેમણે મંગળવારે લાલ મસૂરનું દાન કરવું જોઈએ. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. મંગળવારે જ હનુમાનજીનો અવતાર થયો હતો, આ કારણે દર મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
Read Original Article →