આજે કમલા એકાદશી વ્રત:અધિક માસ, બુધવાર અને એકાદશીના શુભ યોગમાં ભગવાન ગણેશ સાથે કરો વિષ્ણુજીનું પૂજન
આજે (27 મે) જેઠ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની પહેલી એકાદશીનું વ્રત છે. તેને પદ્મિની, કમલા અને પુરુષોત્તમી એકાદશી કહેવાય છે. આ વખતે તિથિઓની વધઘટને કારણે 26-27 મે, બે દિવસ આ તિથિ છે. ગઈકાલે એટલે કે 26 તારીખનો સૂર્યોદય દશમી તિથિમાં થયો હતો, આ કારણે મોટાભાગના લોકો આજે આ વ્રત કરી રહ્યા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, અધિક માસની એકાદશીનું મહત્વ ઘણું વધારે છે, કારણ કે આ મહિનો લગભગ 3 વર્ષમાં એકવાર આવે છે. માન્યતા છે કે પુરુષોત્તમ માસના એકાદશી વ્રતથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. પુરુષોત્તમ માસ, બુધવાર અને એકાદશીના યોગમાં ભગવાન ગણેશ, વિષ્ણુજી અને બુધ ગ્રહની વિશેષ પૂજા કરવી જોઈએ. જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ સંબંધિત દોષ છે, તેમને આજે બુધ ગ્રહ માટે મગનું દાન કરવું જોઈએ. આ રીતે કરી શકો છો એકાદશી વ્રત અધિક માસના સ્વામી છે ભગવાન વિષ્ણુ એવી માન્યતા છે કે અધિક માસને અશુદ્ધ માનવામાં આવ્યો છે, આ કારણે કોઈ પણ દેવતા આ મહિનાનો સ્વામી બનવા તૈયાર નહોતા, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપીને સર્વોચ્ચ સન્માન આપ્યું. તેથી આ મહિનામાં કરવામાં આવેલ વ્રત, જપ અને દાન અનેક ગણું વધુ ફળ પ્રદાન કરે છે. અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય મળે છે પદ્મિની એકાદશીના સંબંધમાં એવી માન્યતા છે કે આ વ્રતથી ભક્તને યજ્ઞ સમાન પુણ્ય મળે છે. આ સાથે આ વ્રત સુખ-શાંતિ અને સફળતા આપનારું માનવામાં આવ્યું છે.
Read Original Article →