દર મહિને 55 રૂપિયાના રોકાણ પર ₹3,000 પેન્શન મળશે:સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, જાણો તેનાથી જોડાયેલી ખાસ વાતો
કેન્દ્ર સરકાર દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના' ચલાવી રહી છે. આ સ્કીમમાં 60 વર્ષ પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળે છે. તેના દ્વારા ઘડપણમાં માસિક આવકનો સ્ત્રોત બની શકે છે. દર મહિને 3 હજાર રૂપિયાના પેન્શનનો લાભ આ સ્કીમમાં મજૂરોને દર મહિને 3000 રૂપિયાના પેન્શનનો લાભ મળે છે. તેમાં લારી-ગલ્લાવાળા, રિક્ષાચાલકો, કન્સ્ટ્રક્શન ક્ષેત્ર અને આવા જ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે. જો તમે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને અત્યાર સુધી કોઈ પેન્શન પ્લાન લીધો નથી, તો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો પ્લાન લઈ શકો છો. આ યોજના હેઠળ કોને પેન્શન મળશે? આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે છે. તેમાં ઘરમાં કામ કરનારા, લારી-ગલ્લાવાળા દુકાનદારો, ડ્રાઈવર, પ્લમ્બર, દરજી, મિડ-ડે મીલ વર્કર, રિક્ષાચાલક, બાંધકામ કામદારો, કચરો વીણનારા, બીડી બનાવનારા, હાથવણાટ, કૃષિ કામદારો, મોચી, ધોબી, ચામડાના કામદારોનો સમાવેશ થાય છે. શું છે નિયમો: યોજના માટે અસંગઠિત ક્ષેત્રના મજૂરની આવક 15,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. સેવિંગ્સ બેંક એકાઉન્ટ અથવા જન-ધન એકાઉન્ટનો પાસપોર્ટ અને આધાર નંબર હોવો જોઈએ. ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પહેલેથી કેન્દ્ર સરકારની અન્ય કોઈ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યો ન હોવો જોઈએ. શું છે શરતો? કઈ ઉંમરના વ્યક્તિએ દર મહિને કેટલું યોગદાન આપવું પડશે? આ યોજનામાં જોડાવા માટે કોણ પાત્ર નથી? આ યોજના હેઠળ, NPS, ESIC અને EPFO જેવી કોઈપણ વૈધાનિક સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવતા કોઈપણ કર્મચારીને આ યોજનાનો લાભ મળશે નહીં. આ ઉપરાંત, આવકવેરાના દાયરામાં આવતા કરદાતાઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા નથી. યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય? પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજનામાં નોંધણી માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવું પડશે. ત્યારબાદ ત્યાં આધાર કાર્ડ અને બચત ખાતું અથવા જનધન ખાતું, જે પણ હોય તેની માહિતી આપવી પડશે. ખાતું ખોલાવતી વખતે જ તમે નોમિની પણ દાખલ કરાવી શકો છો. એકવાર તમારી વિગતો કમ્પ્યુટરમાં દાખલ થયા પછી માસિક યોગદાનની માહિતી મળી જશે. આ પછી તમારે તમારું પ્રારંભિક યોગદાન રોકડ સ્વરૂપે આપવું પડશે. આ પછી તમારું ખાતું ખુલી જશે અને શ્રમ યોગી કાર્ડ મળી જશે. તમે આ યોજનાની માહિતી 1800 267 6888 ટોલ ફ્રી નંબર પર મેળવી શકો છો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Read Original Article →