ભારતે ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો:ઘરેલું સપ્લાય અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે નિર્ણય, નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

Business5/14/2026, 5:58:30 AM
ભારતે ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો:ઘરેલું સપ્લાય અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે નિર્ણય, નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું
કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ (એક્સપોર્ટ) પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ દેશમાં ખાંડ એટલે કે સુગરની ઉપલબ્ધતા જાળવી રાખવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે લાદવામાં આવ્યો છે. 13 મેથી લાદવામાં આવેલો આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર 2026 સુધી અથવા આગામી આદેશ સુધી લાગુ રહેશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંબંધમાં નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે 'રિસ્ટ્રિક્ટેડ' નહીં 'પ્રોહિબિટેડ' કેટેગરીમાં રહેશે ખાંડ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, રો સુગર, વ્હાઇટ સુગર અને રિફાઇન્ડ સુગરની નિકાસ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં આ 'રિસ્ટ્રિક્ટેડ' (પ્રતિબંધિત) કેટેગરીમાં હતું, જેને હવે 'પ્રોહિબિટેડ' (નિષેધ) કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે હવે સરકારી પરવાનગી વિના ખાંડની નિકાસ કરી શકાશે નહીં. નાણાકીય વર્ષ 2024-25માં 7.75 મિલિયન ટન ખાંડની નિકાસ થઈ આ બે દેશોને નિકાસ ચાલુ રહેશે ભલે સરકારે વૈશ્વિક નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોય, પરંતુ કેટલાક ખાસ આંતરરાષ્ટ્રીય કરારોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ભારત યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકાને CXL અને TRQ ક્વોટા હેઠળ ખાંડની નિકાસ ચાલુ રાખશે. આ માટે જે પ્રક્રિયા પહેલેથી નક્કી છે, તે મુજબ જ શિપમેન્ટ મોકલવામાં આવશે. આ ઉપરાંત, એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ (AAS) હેઠળ થતા શિપમેન્ટ પર પણ આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. જે જહાજો પર લોડિંગ શરૂ થઈ ગયું છે, તેમને રાહત સરકારે તે વેપારીઓને રાહત આપી છે જેમનો માલ પહેલેથી જ પોર્ટ પર છે. નોટિફિકેશન મુજબ: પડોશી દેશોની ફૂડ સિક્યોરિટી માટે છૂટ મળી શકે છે નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ બીજા દેશની સરકાર ભારત પાસેથી ખાંડની માગ કરે છે અને ત્યાં ફૂડ સિક્યોરિટી (ખાદ્ય સુરક્ષા)નું સંકટ છે, તો સરકાર વિશેષ પરવાનગી આપી શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર બીજા દેશોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મર્યાદિત માત્રામાં નિકાસને મંજૂરી આપી શકે છે. સપ્ટેમ્બર 2026 પછી શું થશે? સરકારે હાલમાં આ પ્રતિબંધ બે વર્ષ માટે લગાવ્યો છે. જો 30 સપ્ટેમ્બર 2026 સુધી આ પ્રતિબંધની અવધિને આગળ વધારવામાં નહીં આવે, તો ખાંડની નિકાસ સ્ટેટસ આપમેળે ફરીથી 'પ્રતિબંધિત' શ્રેણીમાં જતી રહેશે. સરકારનો આ નિર્ણય ઘરેલું બજારમાં ખાંડની કિંમતોને સ્થિર રાખવા અને તહેવારોના સમયગાળાની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
Read Original Article →