ઓનલાઈન ગેમિંગના નવા નિયમો 1-મેથી લાગુ પડશે:ગેમિંગ-સર્ટિફિકેટ 10 વર્ષ સુધી માન્ય રહેશે; પૈસા વગરની ગેમ્સને રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ
કેન્દ્ર સરકારે દેશમાં ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા માટે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (OGAI)ની રચનાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવી વ્યવસ્થા ઓનલાઈન ગેમિંગ રેગ્યુલેશન એક્ટ-2025 હેઠળ 1 મેથી સમગ્ર દેશમાં અમલમાં આવશે. નવા નિયમો હેઠળ, ગેમિંગ કંપનીઓને મોટી રાહત આપતા, સર્ટિફિકેટની માન્યતા બમણી કરવામાં આવી છે. IT સચિવ એસ. કૃષ્ણનએ જણાવ્યું કે સરકારે ગેમિંગ ઉદ્યોગ માટે લાઇટ-ટચ રેગ્યુલેટરી અભિગમ અપનાવ્યો છે, જેથી સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સ પર બિનજરૂરી બોજ ન પડે. સર્ટિફિકેટની માન્યતા 5થી વધીને 10 વર્ષ થઈ નવા નિયમો હેઠળ, સૌથી મોટો ફેરફાર ઓનલાઈન ગેમ્સના સર્ટિફિકેશનને લઈને કરવામાં આવ્યો છે. હવે કોઈપણ ગેમને મળતા સર્ટિફિકેટની માન્યતા 5 વર્ષને બદલે 10 વર્ષની રહેશે. આનાથી ગેમ ડેવલપર્સને વારંવાર રિન્યુઅલની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. સરકારનું માનવું છે કે આનાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે. પૈસા વગરની ગેમ્સને રજીસ્ટ્રેશનની જરૂર નથી આઇટી સચિવના મતે, જે ગેમ્સમાં અસલી પૈસાની લેવડદેવડ સામેલ નથી, તેમને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નહીં હોય. એસ. કૃષ્ણને કહ્યું કે મોટાભાગની નોન-રિયલ મની ગેમ્સ કોઈપણ રજીસ્ટ્રેશન વગર ચાલી શકે છે. તેમના માટે આ પ્રક્રિયા સંપૂર્ણપણે વૈકલ્પિક રાખવામાં આવી છે. જોકે, જે ગેમ્સ મોટા સ્તરે રમાય છે અથવા જેમાં નાણાકીય વ્યવહારો થાય છે, તેમને નોટિફાય થવા પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ગેમ્સનું વર્ગીકરણ ત્રણ રીતે થશે ગેમ્સને કઈ કેટેગરીમાં રાખવામાં આવે, તેના માટે ઓથોરિટીએ ત્રણ રસ્તા નક્કી કર્યા છે… કોઈપણ ગેમના વર્ગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 90 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે દરેક ગેમ માટે ફરજિયાત નિર્ધારણની જરૂર રહેશે નહીં. યુઝર સેફ્ટી માટે ટુ-ટાયર સિસ્ટમ પ્રમોશન અને રિફંડના નિયમોમાં ફેરફાર આઇટી સચિવે માહિતી આપી કે નવી ગાઇડલાઇન્સમાંથી ગેમ પ્રમોશન સંબંધિત જોગવાઈઓ હટાવી દેવામાં આવી છે. હવે અલગ-અલગ મંત્રાલયો પોતાની યોજનાઓ અનુસાર પ્રમોશન સ્કીમ ડિઝાઇન કરી શકશે. મટીરીયલ ચેન્જના કોન્સેપ્ટને પણ હટાવી દેવામાં આવ્યો છે, જેથી કંપનીઓ અને સરકાર વચ્ચે વિવાદની સ્થિતિ ન બને. રિફંડ સંબંધિત નિયમોને પણ હટાવવામાં આવ્યા છે, કારણ કે સરકારનું માનવું છે કે આ સમસ્યાનું સમાધાન પહેલાથી જ થઈ ગયું છે. 2,500 સ્ટેકહોલ્ડર્સ પાસેથી લેવામાં આવ્યો અભિપ્રાય આ નિયમોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સરકારે ઇન્ડસ્ટ્રી બોડીઝ, કાયદાની જાણકારી ધરાવતી ફર્મ્સ અને એકેડેમિક એક્સપર્ટ્સ સહિત લગભગ 2,500 લોકો પાસેથી સૂચનો લીધા હતા. સ્ટેકહોલ્ડર્સે ગેમિંગની વ્યાખ્યા સ્પષ્ટ કરવા અને ઓથોરિટીના સ્ટ્રક્ચરને સુધારવાની સલાહ આપી હતી, જેને નવા નોટિફિકેશનમાં સામેલ કરવામાં આવ્યા છે. શું છે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા? ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (OGAI) એક છ સભ્યોની ટીમ હશે. તેમાં આઇટી મંત્રાલય ઉપરાંત ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ હશે. તેનું મુખ્ય કાર્ય ભારતમાં ચાલી રહેલી ગેમ્સનું નિરીક્ષણ કરવું, તેમનું વર્ગીકરણ નક્કી કરવું અને યુઝર્સની પ્રાઇવસી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. આ સમાચાર પણ વાંચો… અજય બંગાએ કહ્યું- ગરીબી હટાવવી હોય તો નોકરીઓ આપવી પડશે:નિખિલ કામથ સાથે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટની વાતચીત, યુવાનો માટે DQને સફળતાનો મંત્ર ગણાવ્યો વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગાએ કહ્યું કે વિકાસશીલ દેશોમાં ગરીબી મટાડવી હોય તો નોકરીઓ આપવી પડશે. તેમણે પીપલ બાય ડબલ્યુટીએફ પર બ્રોકરેજ ફર્મ ઝીરોધાના સીઈઓ નિખિલ કામથ સાથેની વાતચીતમાં ગ્લોબલ ઇકોનોમી, ભારતની પ્રગતિ અને યુવાનોના ભવિષ્યને લઈને વિસ્તૃત ચર્ચા કરી. સંપૂર્ણ સમાચાર વાંચો
Read Original Article →