અનિલ અંબાણી ગ્રુપની ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત:મુંબઈનો ફ્લેટ અને ખંડાલાનું ફાર્મહાઉસ જપ્ત, અત્યાર સુધીમાં ₹19,344 કરોડની પ્રોપર્ટી પર કાર્યવાહી

Business4/28/2026, 11:07:50 AM
અનિલ અંબાણી ગ્રુપની ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત:મુંબઈનો ફ્લેટ અને ખંડાલાનું ફાર્મહાઉસ જપ્ત, અત્યાર સુધીમાં ₹19,344 કરોડની પ્રોપર્ટી પર કાર્યવાહી
EDએ અનિલ અંબાણી ગ્રુપ (RAAG)ની 3,034 કરોડ રૂપિયાની નવી સંપત્તિઓ જપ્ત કરી છે. એજન્સીએ મંગળવારે મની લોન્ડરિંગ તપાસ હેઠળ આ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે સંકળાયેલી સંપત્તિઓ પર કરવામાં આવી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં મુંબઈ ખાતે એક ફ્લેટ અને મહારાષ્ટ્રના હિલ સ્ટેશન ખંડાલામાં એક ફાર્મહાઉસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 7.71 કરોડ શેર અને અમદાવાદના સાણંદમાં આવેલી કેટલીક જમીનને પણ જપ્ત કરવામાં આવી છે. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 19,344 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત અનિલ અંબાણી ગ્રુપ સામે ચાલી રહેલા આ કેસમાં આ કોઈ પહેલી કાર્યવાહી નથી. હાલની જપ્તી પછી, ગ્રુપ વિરુદ્ધના કેસોમાં કુલ એટેચમેન્ટ હવે 19,344 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ED લાંબા સમયથી ગ્રુપની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી કથિત બેંક છેતરપિંડી અને ફંડના ડાયવર્ઝન (પૈસાની હેરાફેરી)ના આરોપોની તપાસ કરી રહી છે. બેંક છેતરપિંડી અને ફંડ ડાયવર્ઝનનો આરોપ છે EDની તપાસનું મુખ્ય ધ્યાન એ વાત પર છે કે કેવી રીતે ગ્રુપની કંપનીઓએ બેંકો પાસેથી લીધેલી લોનનો ખોટો ઉપયોગ કર્યો. તપાસ એજન્સીનો આરોપ છે કે ફંડને તે કામોને બદલે ક્યાંક બીજે વાપરવામાં આવ્યું હતું, જેના માટે લોન લેવામાં આવી હતી. આ જ મની લોન્ડરિંગ નેટવર્કને ટ્રેક કરતા એજન્સી સતત ગ્રુપની સંપત્તિઓ જપ્ત કરી રહી છે. અનિલ અંબાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCOM) પહેલાથી જ નાદારી પ્રક્રિયા (ઇન્સોલ્વન્સી)માંથી પસાર થઈ રહી છે. હવે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સંપત્તિઓ અને શેરો પર થયેલી આ કાર્યવાહીથી અનિલ અંબાણી ગ્રુપની નાણાકીય મુશ્કેલીઓ વધુ વધી શકે છે. ગ્રુપની ઘણી કંપનીઓ ભારે દેવા અને કાનૂની તપાસના ઘેરામાં છે. શું હોય છે PMLA અને પ્રોવિઝનલ અટેચમેન્ટ? PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ): આ 2002માં બનેલો એક કાયદો છે, જેનો હેતુ કાળા નાણાંને વાઈટ કરવા (મની લોન્ડરિંગ) પર રોક લગાવવાનો અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ સંપત્તિને જપ્ત કરવાનો છે. પ્રોવિઝનલ અટેચમેન્ટ: જ્યારે EDને લાગે છે કે કોઈ મિલકત ગુનાની કમાણીમાંથી બનાવવામાં આવી છે, ત્યારે તે તેને કામચલાઉ ધોરણે (180 દિવસ માટે) જપ્ત કરી લે છે. આને પછીથી એડજુડિકેટિંગ ઓથોરિટી પાસેથી મંજૂરી મળ્યા પછી કાયમી ધોરણે જપ્ત કરી શકાય છે.
Read Original Article →